SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૧૧ તેઓની વાંસે પડી ગળાથી અને તલવારથી સંહાર કર્યો. તેના સર્વ સંહારક હસ્તથી દુર્ભાગ્ય અપનૃપતિ ધકુવ અને તેનાં કેટલાક માણસે રક્ષણ પામ્યા. કુલ તે મુઠીવારમાંથી પલાયન કરી નાગેરમાં આવ્યું. પણ તે સ્થળે પિતાના રક્ષણને અસંભવ જાણ તે નગરને ત્યાગ કરી બીજા સ્થળે ચાલ્યા ગયે. પાપીણ આમીરખાં તેની વાંસે પી નાગારમાં પેકે, ત્યાં તેણે ધન રન વગેરે લુટી લીધાં. એ રીતે ધકુલની સઘળી સામગ્રી અને રાજા ભક્તસિંહને પુષ્કળ માલ તથા જુદી જુદી જાતના અસ્ત્ર શસ્ત્ર અને તે દુત આમીરખાના હાથમાં આવ્યા. પાશવી વિશ્વાસઘાતકતા કરી અતિશયતાને એ અધમ અને હલક દાખલે જગની સમક્ષ મુકી પાપિષ્ટ આમીરખાં યેધપુરમાં ગયે. રાજા માનસિંહે તેને આનંદાસુક્તિ હૃદયમાં ધારણ કર્યો. તેના તે પૈશાચિક આચરણના બદલામાં ઈનામમાં તેણે તેને દશલાખ રૂપીયા, મુઠીયાવાર, અને કુચિલાવાસ, નામના બેનગર આપ્યાં, તે બને નગરે વિશેષ સમૃદ્ધ અને આબાદ હતાં. તેઓની વાર્ષિક ઉપજ ત્રીશ હઝાર રૂપિયા હતા. એ શિવાય હમેશ એક રૂપિઆ તેને આપવાને ઠરાવ થયે, એ રીતે એવા અધમ અને હલકા કાર્યને અધમ અને હલકે બદલે આપી રાજા માનસિંહ એક રીતે નિષ્કટેક થયો. તેને પરમ વૈરી શિવસિંહ તેના દળબળ સાથે હણાયે. તેનાં સઘળાં વિદને દેવકૃપાએ અંતરિત થયા. પણ જે પિશાચિતકાર્યનું અવલંબન કરી તેણે શત્રુને નાશ કર્યો, તે કાર્યથી તેનું અને તેના દેશનું ભારી અમંગળ થયું. શિવસિંહના મૃત્યુથી તે નિષ્કટક થયે ખરે પણ તે કાંટો ઉખડી જઈ તેના સ્થળે એક મોટું સાલ આવી પડ્યું તે તે જાણી શકે નહિ. હીશું અને હલકા ઉપાયે જી પોકર્ણ સરદાર અને તેના અનુયાયીને વધ કરાવી, માનસિંહે તેના સહકારી બીજા રાજાઓને શાસન આપવા સંકલ્પ કર્યો. થોડા સમયમાં આમીરખાંએ જયપુર ઉપર હુમલો કર્યો. જયપુરાધિપતિ તેને હમલે વ્યર્થ કરી શકશે નહિ. તેનું સમૃદ્ધરાજ્ય દત્ત પઠાણના હાથથી મસાણ જેવું થઈ ગયું. ત્યાર પછી માનસિંહે વીકાનેર રાજયના લેઈએ પોતાની પ્રચંડ પ્રતિશોધ પિપાસા શમિત કરવા, તેની વિરૂદ્ધ બાર હજાર સૈનિકની સેના મેકલી. પચીશ તે લઈ મીરખાં અને કુદળખાં પણ તે સેના સાથે હતા. ઈદુ રાજ શંઘવી એ પ્રચંડ સેનાનો અધિનાયક થઈ વાંકાનેર રાજ્યની વિરૂધે ઉતયે આવા ભયંકર કાર્યની ખબર મળી, તે શત્રુઓની સેનાની સમકક્ષ થાય એવી સેના લઈ શત્રુના સંમુખે આવે. વાપી નામના સ્થળે બને દળો એકઠા થયા. ડે કાળ યુદ્ધ ચાલ્યું વિકાનેર રાજના બે સૈનિકે હણાયા. રાજા યુદ્ધ સ્થળ થકી પલાયન કરી ગયે. વિજયી ઈંદુરાજ તેની પછવાડે પડ્યો. તેણે તેને ગુજનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy