SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વિ. ૩૭૧ તેણે આપી, અમરચંદનું તે ઉદાર કાર્ય જેઠ સઘળા ચમત્કૃત થયા. જેઓને તેના વિરૂધે ઈનળ પ્રજવલિત થયે હતું. તેઓ સઘળા અપ્રતિભ થઈ ગયા તે સઘળી મીલક્ત લઇ લેવા રાજમાતાએ અમરચંદને અનુરોધ કર્યો. પણ દ્રઢ પ્રતિક્ષાવાળા અમરચંદે તેને અનુરોધ ગ્રાહ્ય કયે નહિ. રાજમાતાની દુરાકાંક્ષા અને ક્ષમતાપ્રિયતા પ્રતિદિન વધતી ગઈ તે અતીવ બુદ્ધિવાળી સ્ત્રી હતી ખરી, પણ તે એક દુરિતવાળી સહચરીના કહેવા પ્રમાણે ચાલતી હતી. તે પાપિષ્ટ સહચરી જે બોલતી હતી તે રાજમાતા કરતી હતી, ટુંકામાં તે પાપિછાની સલાહ વિના તે એક પગલું પણ ભરતી નહિ. તે દુશ્ચારિણી સહચરી સી એક નેકર યુવકના કબજામાં હતી. તે નેકર તેને જે કહે તે રાજમાતા કરી આપતી હતી. આવી રીતના પ્રપંચમાં રાજમાતા, અમરચંદનાં દરેક કાર્ય જેવા લાગી, તેણે અમરચંદથી વિરૂદ્ધ આચરણ કરવું શરૂ કર્યું. તેના પુત્રની સ્વાર્થ રક્ષા માટે અમરચંદે, જે માટે ત્યાગ સ્વીકાર કર્યો. તેને તે સ્ત્રીએ એક ક્ષણવાર પણ વિચાર ન કર્યો. ટુંકામાં તેની દુવૃતિ પ્રબળ થઈ પડી. ચંદાવત રજપુતનું આનુકુલ્ય મેળવી તે ન્યાયવાન અમરચંદનાં દરેક કામ જેવા લાગી, કર્તવ્ય પરાયણ અમરચંદ તે અણુમાત્ર વિચલિત થયે નહિ, તે પોતાની સંધવી સેનાની સહાયે પિતાના પદ ઉપર દહભાવે રહયે. તેણે દૂત મરાડા લોકેને નગરમાં પેસવા દીધા નહિ, રાજકીય ભૂમિને કાંઈ પણ અંશ શત્રુના હાથમાં જવા દીધું નહિ, તેનું રક્તમાંસનું શરીર, ઈષાળુ લોકોના વિશ્લેષશરે કયાં સુધી તે અવિદ્ધ રહે! જેના માટે તેણે સર્વવ છેડી દીધું. તેઓજ તેના બેહદ પરોપકારને ભુલી કૃતઘતાના પવિત્ર મસ્ક પદાઘાત કરી પિશાચીય માર્ગમાં પગલું મુકી તેનું અત્યંત અપમાન કરવા લાગ્યા, તેવા આચરણથી કયા સદાચારી પુરૂષનું હદય ન કંપી ઉઠે ! અમરચંદ સ્વભાવથી તેજસ્વી હિતે, અપમાનને લેશ ભાગ કે અણુભાગ તેના હૃદયમાં સહ્ય થાતે નહિ. પણ તે મંત્રિપદે અભિષિક્ત થઈ અનેક દુરાચારનાં અપમાન, અને વિષબાણ સહન કરતે. હતું. બાળક રાજકુમારને હક જાળવી રાખવા તે અપમાને સહન કરતે હતે. આજે તે બાળક રાજકુમારની જનનીને તેણે પોતાના શત્રુ તરીકે ઉઠેલી જોઈ. તે જોઈ તે દારૂણ શોક ઘણું અભિમાન અને રેષથી ઉતસ થયે. તે પણ કર્તવ્ય નિણ અમરચંદ પિતાના કરણીયથી પરાગમુખ થયે નહિ, એકવાર તે પોતાના કાર્યાલયમાં બેઠે હતે, એટલામાં દુશ્ચારિણી રામપીયારી તેના સંમુખે આવી ઉભી રહી, તેણે રાજમાતાનું નામ લઇ, કઈ વિષયમાં ભર્સના કરી, તેજસ્વી અમરચંદ પગથી તે માથા સુધી બળી ઉઠયો. તેણે તે પાપિછાને ગાળ દઈ પિતાના ઘરમાંથી કહઠાવી મુકી, મમહંત રામપીયારી રેતી રોતી રાજમાતા પાસે આવી અને સમસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy