SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ રેડ રાજસ્થાન બાર વર્ષની હતી. તેની માએ રાજ્યકાર્ય સંભાળવાને ભાર પિતાના હાથમાં લીધે. આજ મેવાડના અનેક અનર્થો એક કેદ્રી ભૂત થઈ ગયા. તે રાજી દારૂણ દુરાકાંક્ષાવાળી હતી. મહાકવિ ચંદબારોટના કહેવા પ્રમાણે આજ મેવાડને અધઃપાત અનિવાર્ય એ ભયંકર સંકટકાળમાં સાંપ્રદાયિક સંઘર્ષો પેદા થઈ અનર્થ ઉપર અનર્થ આણું દીધા. ચંદાવત અને બઝ્માવત રજપુતે પરસ્પરના વિશ્લેષી હતા. આજ મેવાડની અધઃપાતવાળી અવસ્થામાં તે બને રજપુત જાતે પોતપોતાના પ્રાધાન્ય માટે લડવા લાગી. શક્તાવત સરદારે રાજમાતાની નીતિનું અવલંબન કર્યું. પૂર્વે અપમાનિત થયેલ. સાલું બ્રા સરદારે અરિસિંહેકરેલ અપમાનને બદલે લેવા સ્વર્ગીય રાજાની રાણીના વિરૂધ્ધ ખડગ લીધું. આ ભયંકર સાંપ્રદાયિક સંઘર્ષથી જે અનળ પેદા થયે. તે અનળથી મેવાડ ભૂમિ દિગ્ધ થઈ ગઈ, થોડા દિવસ રાજ્ય રક્ષા વિનાનું થઈ ગયું. અનુકુળતા પામી. કેટલાક ચોરો, મેવાડનું ધન્ય રત્ન લુંટવા લાગ્યા. મેવાડના નિરીહ ખેડૂતે ઉપર અત્યાચાર ગુજરવા લાગ્યું. આજ મેવાડની સેચનીય દશા આવી છે. રસ્તા ઘાટ, પ્રાંગન વીગેરે લેહીથી ભરાઈ ગયા. રાજસથાનનું નંદનવન સરખું મેવાડ આજ શોકદદીપક સ્મશાન જેવું થઈ ગયું. તેજસ્વી અસરની ઉત્તેજનાથી પ્રોત્સાહિત થઈ જે સંધવી સિનિએ રાજ ભક્તિનાં વિશેષ લક્ષણે બતાવ્યાં હતાં. તે સિંધવી સૈનિકે એ આજ અરિસિંહના મૃત્યુ ઉપર, પાશવીવૃત્તિ ધારણ કરી બળપૂર્વક રાજધાનીને અધિકાર કર્યો. તેઓએ પિતાના પગાર માટે સાલું બ્રા સરદારને ઘણી પીડા આપી સતા. રાજ ધાનીના રક્ષણને ભારે સાલું બ્રા સરદારના હાથમાં હતું. પિતાને પગાર મેળવવા સંધવી સૈનિકે એ સાલું બ્રા સરદારને તખલેહ ઉપર બેસારવાને ઉપકમ કર્યો. એટલામાં અમરચંદ બુંદી થકી ત્યાં આવ્યું. અમરચંદને જોતાં પાપીણ સૈધવી સૈનિકોએ, સાલું બ્રા સરદારને છેહ દીધે, અમરચંદે, બાળક હમીરના હ જાળવવા સંકલ્પ કર્યો. અમરચંદ, મનુષ્યનું ચરિત સારી રીતે જાણનારે હતે. તે જાણતા હતા જે મંત્રીપદ અનેકનું વાંછનીય છે. અને તેને તે પદે ચલે જોઈ અનેક લોકન ઈષાનળ સળગી ઉઠશે. વળી તે રાજં કુમારના હક દ્રઢ રાખવા જેટલી ચેષ્ટા કરશે તે વ્યર્થ જાશે. શાથી કે ઈષાળ લોક સ્વ૯૫ માત્ર છિદ્ર જે તેને ફાડ મેટું કરી દેશે, વળી સ્વાર્થ પર અને આત્મભરી લેકે તેના માટે વૃથા અપવાદ બાલશે એટલેકે કોઈ આસામી તેનું સામાન્ય છિદ્ર પણ શોધી ન શકે તેના માટે અમરચંદે પિતાની સઘળી મીલકતની એક તાલિકા કરી. અને તે તાલીકા સાથે તેણે સઘળી મીલકત રાજમાતાને મોકલાવી. સોનું રૂપું, મોતી, મણિ, રત્ન, રૂપાના પાત્રો વિગેરે સઘળી મીલક્ત રાજમાતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy