SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. ટેડ રાજસ્થાન - વૃત્તાંત, અનેક પરિમાણે અનુરછત કરી તેણે તેને કહ્યા. તેથી કરી રાજમાતાએ પિતાનું અપમાન ગયું, તે પાલખીમાં બેસી સાલું બ્રાસરદાર પાસે જવાને નીકળી, ચતુર અમરચંદના જાણવામાં તે આવ્યું. તે સભામાંથી બહાર આવ્યું. રસ્તામાં તે રાણુને સંમુખી ન થયે. પાલખીવાળાઓને અને અનુચરોને મહેલમાં ફરી જવા તેણે આજ્ઞા આપી. કેઈએ અમરચંદની આજ્ઞાની ઉપેક્ષા કરી નહિ. પાલખીને અંતઃપુરના દ્વાર પાસે આણી. અમરચંદે રાજમાતાને પ્રણામ કરી ધીર ભાવે અને ગભીર ભાવે કહ્યું. દેવી! જનાનખાનામાંથી રાજમાર્ગમાં બહાર પડી આપે, દૂર જવાને જે નિણ્ય કર્યો. તે શું વાજબી કર્યું. તેથી શું આપના સ્વર્ગીય મહા માન્યપતિનું અપમાન ન થાય ! સ્વામીના મૃત્યુ પછી થોડામાં થોડા છમાસથી એક કુંભારણ પણ પિતાના ઘરની બહાર નીકળતી નથી. આપ બુદ્ધિવાળા છે, આપને હું છું વિશેષ કહું. અમરચંદને આપ આપનો મિત્ર ગણજે, અમરચંદ વિશ્વાસઘાતક નથી. અમરચંદથી મહારાજ અરિસિંહના બાળક પુત્રનું અનિષ્ટ થાશે નહિ, આ ક્ષણે મારૂં નિવેદન એટલું છે જે હું આજ એક મોટું કાર્ય સાધવા તત્પર છું, જેથી આપનું અને આપના પુત્રનું મંગળ થાશે એટલે કે આપ મારા વિરૂદ્ધ આચરણ ન કરે પણ મને તે કર્તવ્ય સાધવામાં સહાય કરે. માટે આ નિવેદન આ૫ ગ્રાહ્ય કરે! મને હઝારે વિદને નડશે પણ હું મારું કર્તવ્ય સાધીશ. અમરચંદનાં એ સારવચને સાંભળી કૃર હદય બાઈજીરાજ કઈ રતને સંતોષ પામી નહિ. અમરચંદ જ્યાં સુધી જીવીત રહ્યા ત્યાંસુધી, તે રાણીના વિદ્વેષ નયનથી બચ્યું નહિ. છેવટે જ્યારે તે ન્યાયવાનું ધામીકપ્રવર મંત્રી આ લેકમાંથી વિદાય પામે તે દીવસે જ તે તેના વિષ નયનથી છુટયે. તે દિવસે તે માનવ સંસારની સ્વાર્થ પરતાથી, વિશ્વાસઘાતકતાથી અને કૃતળતાથી છુટી અનંત સુખના ધામમાં પહોંચે. અનેક લોકો અનુમાન કરે છે જે પાપાચારિણી બાઈજીરાજે, વિપ્ર પ્રાગથી અમરચંદને મારી નાંખે. રાજમાતાની દુરાકાંક્ષા, કરતા અને નિષ્ફરતાથી બનેલી વાતની સત્યતા માલુમ પડે છે. હાય! માનવ કેવો નિષ્ફર ! કે કૃત! કે સ્વાર્થ પર ! માનવ સંસાર કેવી દારૂણ યંત્રણાને અંધકપ. કણ કહે છે કે માનવ પશુ કરતા શ્રેષ્ટ. જે શ્રેષ્ઠ છે તે કયા ગુણથી શ્રેણ. હિંસા, દ્વેષ, કૃતજ્ઞતા, સ્વાર્થ પરતા, વિશ્વાસઘાતકતા, જે શ્રેષ્ઠત્વના પરિચાયક ગુણ હોય અને જે, એક ભાઈને સર્વનાશ કરી આત્મદર પૂર્ણ કરવામાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ પ્રતિપાદીત થાય, જે દુર્બલ ઉપર પ્રપીડન કરવામાં સબળ મનુષ્યનું શ્રેષ્ઠત્વ કહેવાય છે તે શ્રેષ્ઠત્વ પશુજાતિની ઉપરનું નહિ. તેને નૃશંશત્વ પશુત્વ, અને પિશાચત્વનું શ્રેષ્ઠત્વ. ઉદાર હૃદય અમરચંદે પોતાની માતૃભૂમિ માટે સર્વસ્વ ત્યાગ કર્યું. જે અર્થ માટે આ જગતમાં અનર્થ થાય છે. જે અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy