SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા પ્રતાપસિંહનું સિહાસનારોપણ ઈ કરનાર યવનાને શી રીતે ચાગ્ય સજા ચિંતામાં મગ્ન રહેતા હતા. ૨૩૯ અપાય, તેના માટે પ્રતાપ કામ તે ચિંતા ક્રમે ક્રમે એટલી બધી બળવાળી થઇ જે તેથી તેનું હૃદય નવીન સાહસે અને અપૂર્વ ઉત્સાહે દઢ થઇ ગયું. તે પોતાના મહામંત્રનું સાધન કરવા ઉતેજીત થયા. તે સાધનમાં અસંખ્ય વિઘ્ના છે એમ પોતે સારી રીતે જાણતા હતા. તે જાણતા હતા જે પોતે નિઃસહાય અને નિઃસબળ છે. અને મેગલ સમ્રાટ અકબર પુષ્કળ ખળ સંપન્ન છે. પણ પ્રતાપસિ’હુ તેથી ખમણેા પ્રાત્સાહિત થઈ ઊઠયા. અકબરને પુષ્કળ ખળ સપન્ન જોઈ વીરપુંગવ પ્રતાપસિંહ તેની મંત્ર સાધનામાં નાહિમ્મત થયા નહિ. સ્વદેશીય ભટ્ટગ્રંથામાં લખેલ પ્રતાપના પરાક્રમનું વર્ણન વાંચવાથી પ્રતીતિ જન્મે છે જે ગિલ્ફેટ કુળના રાજાઓએ શત્રુએની પાસે, મસ્તક અવનત કરેલ નથી. કઠાર વિપદમાં આવી પડયા હોય તેાપણ તેઓએ દેશબૈરી પાસે આત્મ સમર્પણું કર્યું નથી. અગર જે શાહબુટ્ટીન વીગેરે નિષ્ઠુરવૈરીના પદાધાતે ચિતાડપુરી વિશ્વસ્ત થઈ. પણ કોઈ વૈરી તે નગરીને હસ્તગત કરી શકયે નહિ. ચિતાડપુરી તેઓના હસ્તગત થઇ નહિ એટલે પણ અનેક યવન નરપતિએ એ યુદ્ધમાં હાર પામી પકડાઇ ચિતાડમાં કારાગારના દુઃખ ભાગવ્યાં છે. ત્યારે હવે તે ચિતાડપુરીના પુનરૂદ્ધાર નહી થાય ! ત્યારે હવે શું પ્રચ'ડ અકબરનેદ ચુર્ણ વિચર્ણિત નહિ થાય ! પ્રતાપસિહના વિલક્ષણ વિશ્વાસ હતા જે આજ ચિતાડપુરી શત્રુથી વિધ્વંસ્ત છે અને અકબર શ્રીવૃદ્ધિના ઉચ્ચા આસને બેઠા છે પણ કાળ પોતાના કઠાર ઉદ્યમે અને અધ્યવસાયે ચિતાડપુરીને તે પુનરૂદ્વાર કરી શકશે. અને અકખર ઉચ્ચા આસન ઉપરથી પડી નીચેમાં નીચેના આસને જઈ બેસશે, વળી ઈશ્વરાનુગ્રહે તે પણ દિલ્લીના સિહાસને બેસે. વીર શ્રેષ્ઠ પ્રતાપસિંહના એ વિચારા ન્યાય વિરૂદ્ધ ગણાય નહિ. પણ દુર્ભાગ્યવશે, તેના વિરૂધ્ધ અસંખ્ય ઘાર પ્રતિ રાધ પેદા થયા કે જેથી તેના મનારથફળ થયા. ચતુર અકખર, છાની રીતે તેના પ્રાયાસે નિષ્ફળ જાય તેમ મહેનત કરતા હતા. પ્રતાપસિંહ અકબરની મહેનતના વાકેફગાર નહોતા, પ્રતાપસિ’હું જ્યારે એવા સંસ્કારને વશતિ થઇ મનમાં એક મોટી આશા અને આકાંક્ષા રાખી મોટા પ્રાયાસે, અકબરના પરાજય માટે મહેનત કરતા હતા,ત્યારેતેના પ્રચંડ વૈરી અકખરે તેના સઘળા ઉદ્યોગ વિફળ કરી દેવા પ્રતાપસિહના સ્વજાતીય ધમ વિલંબી રાજા વીગેરેને ઊ‘ચા પ્રકારનાં પ્રલાભર આપી ખુટવીદીધાં. અને તેઓને તેણે પ્રતાપસિંહ વિરૂધ્ધે યુદ્ધ ક્ષેત્રમાં ઉતાર્યાં. મારવાડ મેવાડ અને બિકાનેરના રાજકુમારો અને મેવાડના દૃઢ મિત્ર ખુદીરાજ પણ યવનના પાપ પ્રલેભનથી વશીભૂત થઇ સ્વદેશની વિરૂધ્ધે અને સ્વજાતિની વિરૂધ્ધ તરવાર ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy