SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ટોડ રાજસ્થાન, જાડીજા પિતાનું આધિપત્ય દૂર પ્રદેશમાં વિસ્તારી શક્યા નહિ, પરંતુ કેટલાએક અનુમાન કરે છે કે, જાડેજાએ સિંધુનદના પશ્ચિમ તીર શિવસ્થાન નામને એક પ્રદેશ હતે. તે પ્રદેશમાં પિતાનું આધિપત્ય સ્થાપ્યું અને તેઓએ અખંડિત રીત ઘણો સમય રાજ્ય ચલાવ્યું. તે એલેકઝાંડરના સમસામયિક ઐતિહાસીક લેખકના ઈતિહાસથી સાબીત થાય છે. મકદુનીયાના મહાવીર અલેકઝાંડરે ભારતવર્ષ ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે તે જાડેજાના કુળને સાંબનાગનો રાજ અલેકઝાંડરની વિરૂદ્ધમાં સંગ્રામમાં ઉતર્યા હતા. મહારાજ સાંબનાગના યુદ્ધના વાવટા નીચે જે સૈન્ય સામંત એકઠા થયા હતા, તે સઘળા હરિકુલેસન્ન હતા; અગર જો કે તે સમયે તેઓની અવસ્થા બીલકુલ હીન અને ક્ષણ હતી તે પણ તેઓએ યુદ્ધમાં પિતાના પર્વ પુરૂષનું પ્રાચીન ગૈરવ બતાવી આપવા કસર રાખી નહોતી, અને તેઓની અટલ શ્રદ્ધાને લઈને યુદ્ધમાં તેઓને પ્રયાસ ફળવાળે નિવડે હતે. મહારાજ સાંખનાગ શ્યામ નગરમાં રાજ્ય કરતા હતા. શ્રીકોએ તે શ્યામ નગરને મીનગઢ નામ આપ્યું છે. અનર્થકર અંદર અંદરના ભયંકર કલહથી ભગવાન શ્રીકૃષ્ણના વંશધરોને કેટલેક અંશે નાશ થઈ ગયે હતો પણ તે કાળ સ્વરૂપ અંદર અંદરના કલહથી રક્ષા પામી કેટલાક યાદવેએ, પિતાને પ્રભાવ અખંડ રાખ્યું હતું. તે કલહમાંથી બચેલા યાદવેની સંખ્યા સામાન્ય નહતી, તે પ્રત્યેકના વંશધર, કમે કમે અસંખ્ય શાખા પ્રશાખામાં વિભક્ત થઈ આજ પણ ભારતવર્ષને અનેક સ્થાનમાં વિ. સ્તારપામી પડ્યા છે. એકંદર આઠ શાખામાં યદુકુળ વિભક્ત છે, તે અડ શાખામાં ભઠ્ઠીની અને જાડેજાની શાખા વધારે પ્રતિષ્ઠાવાળી છે. . તયાર—ઘણું લેકે, ત્યારને યદુકુળની એક શાખા ગણે છે પણ મહા કવિ ચંદ બારોટે તેને મહારાજ પાંડુના વંશધરની એક શાખા ગણે છે તે બનેમાં કાનું વચન યુક્ત અને સત્ય છે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે. હવે તે શાખાની ખ્યાતિ અને પ્રતિષ્ઠા માટે બોલવું એગ્ય છે. તે શાખાને રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં ઉંચુ આસન આપ્યા વિના ચાલે તેવું નથી. - તે શાખાની, પ્રતિષ્ઠા અને ખ્યાતિ, તે શાખાના બે મહાપુરૂષે મેળવેલી છે. તેઓનું પવિત્ર નામ, આજ પણ દરેક હીંદુસંતાનની જપમાળા સ્વરૂપ થઈ પડેલ છે. તે બે મહાપુરૂષને સમય, ભારતવર્ષના અદૃષ્ટમાં સુવર્ણ યુગ હતો તે સમયે, ભારતવર્ષ જગન્માજ્ય પંડિતોથી અલંકૃત થઈ જગતના સઘળા રાયે કરવામાં ભારતવર્ષ આ બે મહાપુરૂષોના તેજસ્વીન બાહુબળથી શીર્ષસ્થાન ભોગવતું હતું. તે ત્યારે કુલેસન્ન બે મહાપુરૂષના અપુર્વ ચરિત ગુણોથી ભારતવર્ષમાં બે નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy