SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય તવારીખમાં [ ૨૩ તેણે સૂબા તરીકે ગુજરાતમાં ઝાઝો સમય નિવાસ કર્યો હોય એમ જણાતું નથી પોતાના પ્રતિનિધિ સુંદરદાસ અને દીવાન મુહમ્મદ સફીથી જ તેણે કામ ચલાવ્યું છે. સુંદરદાસને ભાઈ કુંવરદાસ જે પહેલાં ગુજરાતમાં દીવાન તરીકે રહી ચૂક્યો હતો, તેની નિમણૂક પણ ઈ. સ. ૧૬૧૮ માં માળવાના દીવાન તરીકે કરવામાં આવી. જહાંગીર તેના “રાય” ઇલકાબને ઉલલેખ કરે છે. પાછળથી તે સુંદરદાસની અનુપસ્થિતિમાં તેના સ્થાને પણ નિમાય છે. પિતાના રાજવહીવટ દરમિયાન૪ સુંદરદાસે ઉત્તર ગુજરાતમાં કાળીઓની ટોળીઓ, જે વર્ષોથી લોકોને ત્રાસ આપી રહી હતી, તેને જેર કરી. તેણે કડકાઈથી ગાય અને ભેંસને વધ ૫ણ અટકાવ્યો. તે વખતના અંગ્રેજ વેપારીઓ પિતાના હેવાલમાં નોંધે છે કે એ પ્રતિબંધને કારણે ગાય-ભેસનું ચામડું, પેકીંગ માટે વપરાતું, તે મળવું મુશ્કેલ બન્યું. તેઓ વિશેષમાં જણાવે છે કે જો કે સુંદરદાસને અમલ રૂસ્તમ ખાન કરતાં તે ઓછે જુલમી હતો, પરંતુ તેને બોલાવી લેવામાં આવેલ ત્યારે અંગ્રેજ વેપારીઓ ખુશ થયેલા, કેમ કે તેની વિરુદ્ધમાં તેમને ઘણી ફરિયાદ હતી. * “ Rai Kanhur, who was formerly Diwan of Gujarat, was chosen for the diwanship of Malva ” (“Memoirs of Jahangir". Vol. II, P. 16.) x કેમિસેરિયેટ “હિસ્ટ્રી ઓફ ગુજરાત” (વૈ ૨, પૃ. ૧૯)માં સુંદરદાસનો વહીવટ ઈ. સ. ૧૬૨૨ માં કહે છે તે વિચારણીય છે. ઈ. સ. ૧૬૧૮ સંબંધિત ઉલેખમાં સુંદરદાસને શાહજહાંએ ગુજરાતમાં નીમેલ એ વિશે ખુદ જહાંગીરે તેના આત્મવૃત્તાંતમાં નેધ લીધી છે તે સૂચક છે, જુઓ Memoirs, વૈ ૨, પૃ. ૧૯. + “English Factories,” Ed. by Sir W. Foster, PP. 110, 153. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy