SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯). તે વિરાધ નામે પ્રસિદ્ધ થયે. અનુકમે તે થવનવય પામ્યું ને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. એ અરસામાં રાવણને ખબર પડી કે કિષ્કિયાનગરીને વાલીરાજા મહા બળવાન છે ને પિતાની આજ્ઞા માનતો નથી. જેથી તેને શિક્ષા કરવાને તે બંધુઓ સહીત મોટા પરીવાર સાથે તેની ઉપર ચઢી આવ્યું. યુદ્ધમાં અનેક માણસોને સંહાર થતે જોઈને બને વીરે લશ્કરને રોકીને પોતેજ સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાવણે જે જે શસ્ત્રો મુકયાં તે વાલીએ વ્યર્થ કરી નાખ્યાં. છેવટે ચંદ્રહાસ ખડ્ઝ ખેંચ્યું ને મારવા ધયે. વાળીએ ખગ્ન સહીત રાવણને લીલામાત્રમાં ઉપાડીને દડાની માફક બગલમાં દબાવી ચાર સમુદ્ર સહીત પૃથ્વી ફરી આવીને રાવણને છોડી દીધો. રાવણ પરાજીત થવાથી વિલખે થયે. પછી વાલી રાજા રાવણના દેખતાંજ પિતાના લઘુ બાંધવ સુગ્રીવને કિષ્કિધાની ગાદીએ બેસાડી પિતે દિક્ષા લઈ ચાલી નીકળ્યા. સુગ્રીવે રાવણની આજ્ઞા માનીને પોતાની બેન શ્રીપ્રભા એને પરણાવી. શ્રી પ્રભાને લઈ રાવણ લંકામાં ગયા. એક દિવસ રાવણ નિત્યાલોક નગરના રાજાની કન્યા રતવતીને પરણવાને પુષ્પક વિમાનમાં બેસીને ચાલ્યો. અષ્ટાપદ પર્વત ઉપર થઈને જતાં રાવણનું વિમાન થંભાઈ ગયું. એણે નીચે જોયું તો વાલી મુનિને એકાગ્રચિત્તે ધ્યાન ધરતા-કાઉસગ્ગ મુદ્રાએ જોયા. પૂર્વનું વેર સંભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy