SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦ ] એમનું જ આરાધન કરીને ભવસમુદ્રની માફક આપણે આ સમુદ્રની પાર ઉતરીયે.” રામચંદ્રજીએ પોતાને વિચાર જણાવ્યો. હા બંધુ. આપનું કહેવું બરાબર છે. આ ભગવંતને જોતાં જ મારૂં હદય સ્વયમેવ ઉલસે છે–અંતર હરખે છે."* નારાયણ બોલ્યા. -“જગતમાં ઉત્તમ વસ્તુઓ ભાગ્યયોગેજ મળી શકે છે.. મને તે લાગે છે કે અહીં સ્થિર થઈ આ અપૂર્વ પ્રતિમાનું આરાધન તે અવશ્ય કરવું જ.” રામ નિશ્ચયપૂર્વક બેલ્યા. ઠીક છે. તે પછી “મજ સૌન' શુભ મુહુર્તો આપણે બન્ને આ ભગવાન સામે એકાગ્રચિત્તે ધ્યાન ધરીને. આપણું કાર્ય શીધ્ર પૂરું કરીએ?” નારાયણે કહ્યું. પ્રભુ પાર્શ્વનાથનું આરાધન કરવાનો નિશ્ચય કરી એ. બને મહાભૂજ પુરૂષ સન્યની વ્યવસ્થા કરવાને છાવણીમાં આવ્યા અને પિતાના તંબુમાં સુગ્રીવ, ભામંડલ, જાંબુવાન હનુમંત આદિ સર્વ વિદ્યાધરને બોલાવ્યા. અલ્પ સમયમાં એ સર્વ મહારથી સુભટે રામ લક્ષમણની આગળ આવીને હાજર થયા, અને પ્રણામ કરી તેમની આજ્ઞા મેળવી સન્મુખ બેઠા. પિતાના મુખ્ય મુખ્ય પરાક્રમી પુરૂષને ઉદેશી રામચંદ્રજીએ પ્રથમ મંત્રણા ચલાવવા માંડી. “બંધુઓ, કહો. આ સમુદ્રનું ઉલ્લંઘન કરીને આપણે લંકામાં શી રીતે જવું? લંકામાં જવા માટે આપણે સમુદ્ર ઉપર પાજ માંખીને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy