SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યભામા અને દ્વાપદી ૧૦૯ રેલા છે. મુંજ-મેખલા ધારણ કરવાથી વીર્યસ્રાવ થતા નથી, તેમજ સ્વપ્નાવસ્થામાં જતું વી ખધ પાડે છે. આજકાલના અતિમૈથુનના કાળમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે અને એ કારણને લઇને દરેકે દરેક વ્યક્તિએ મેખલાએ ધારણુ કરવી જોઇએ અને ધારણ કરવાથી જળસમાન પાતળી થયેલી ધાતુ બંધાઇ જાય છે; તેમજ ખીજા ઘણી જાતના ધાતુના વિકારા દૂર થાય છે અને વિનામૈથુને કદી વી`પાત થતા નથી. પ્રાચીન આયુર્વેદાચાર્યોના કષ્ટથી શેાધાયેલા આવા ગહન, સાદ્દા અને અત્યંત ફાયદાકારક ઉપાયાને આપણે વગરસમજે ઉંડા વિચાર કર્યાંસિવાય માત્ર ઉપલક દૃષ્ટિએ નજીવા સમજી, અવહેલના કરી, આપણા પગા ઉપર કુહાડી મારી બીજાની મદદની આશા રાખીએ છીએ! એ સિવાય બીજું શું ? ૬૨–સત્યભામા અને દ્રૌપદી એક પ્રસંગે મેળાપ થતાં સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કેઃ–સખિ ! તારા સ્વામી જે મંત્ર કે ઔષધવડે તારે વશ રહે છે, તે મને ખતાવ, કે જેથી શ્રીકૃષ્ણે પણ મારે વશ થાય.” દ્રૌપદીએ હસીને કહ્યું:–“સખિ ! મંત્ર કે ઔષધથી તે કાંઇ સ્વામી વશ કરાતા હશે? ગુણહીન સ્ત્રીઓ મંત્ર અને ઔષધેાથી સ્વામીને વશ કરવાના પ્રયત્ન કરીને ઉલટુ સ્વામીને નુકસાન પહોંચાડે છે. સ્વામી મને કેવી રીતે વશીભૂત થયા છે તે સાંભળ. સ્વામી એજ સ્ત્રીના દેવતા અને એકમાત્ર ગતિ છે, એમ જાણીને હું મન, વચન અને ક્રથી રાતદિવસ એમની સેવા કરૂં છું. સ્વામીસેવા એજ મારા જીવનનું એકમાત્ર વ્રત-એફ માત્ર ધર્માં છે. હું કાઇ દિવસ એમની સાથે કડવું વેણુ ખેાલતી નથી, તેમના મનને ખોટુ લાગવા દેતી નથી, તેમના જમવા પહેલાં ભાજન કરતી નથી, તેમના બેઠા પહેલાં ખેસતી નથી અને સૂતા પહેલાં સતી નથી. જે વસ્તુ એમને પસંદ ન હાય તેને હું પણ ત્યાગ કરૂ છું; જેની સાથે વાતચીત કરવાની તેમની ઇચ્છા ન હેાય, તેની સાથે હું પણ વાર્તાલાપ કરતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy