________________
ધ્યાન કરનાર ધ્યાન યોગ્ય ગણાય, સમ્યગ્ જ્ઞાનદર્શન ચારિત્રનુ સ્વરૂપ, પડ્-દ્રવ્ય, નવતત્ત્વ નિરૂપણ, બ્રહ્મચય સ્વરૂપ, આદિ અનેક ઉત્તમાત્તમ વિષયાનાં વિવેચન કરી ધ્યાનના દીપક પ્રકટાવવાની ઉત્કૃષ્ટ સામગ્રી ભવિજના માટે તૈયાર કરી છે. યમનિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણુ સમાધિ સાદે ધ્યાનમાં સ્કુલ અને સૂક્ષ્મ સ્વરૂપા ઘણાજ વિસ્તૃત વિવેચન પૂર્વક પદ્યબદ્ધ વર્ણવ્યાં છે. વ્યવહાર અને નિશ્ચયથી બહિરાત્મા, અંતરાત્મા અને શુદ્ધાત્માના પ્રકાર બતાવી, કયા શુદ્ધાત્મા ધ્યાનને યાગ્ય હાય ? ધ્યાનનું શુદ્ધ સત્ય સંપૂર્ણ સ્વરૂપ કેવું હોય ? ધ્યાન શાનું કરવાનું છે ? આત્મા કયારે કેવા યાનથી પરમાત્મા થઈ શકે ! આ સર્વ બામતાના સ્માટ ઘણીજ ઉત્તમરીત આ ગ્રંથમા શ્રીમદે વિજનાના હિતાર્થે કર્યો છે, અને છેવટે શુદ્ધાતમ ધ્યાનના પ્રાતપાદનમાં—નિજ શુદ્ધાતમ ધ્યાનને ધ્યાવા. એમ જણાવે છે.
દ્રવ્યપ્રકાશ,
સ. ૧૭૬૭ ના પાષ માસમાં શ્રીમદ્દે હિન્દી ભાષામાં – વિકાનેર નગરમાં દ્રવ્યપ્રકાશ ગ્રંથની રચના કીધી. આ ગ્રંથ વ્રજ ભાષામાં રચવામાં આવ્યા છે, એમાં આત્માનું પરમાત્માનુ સ્વરૂપ તથા જીવનું સ્વરૂપ બતાવી મુખ્યતાએ છએ દ્રવ્યનુ સ્વરૂપ ઘણાજ વિસ્તારવાળા વિવેચનપૂર્વક ચર્ચવામાં આવ્યું છે. નયનું સ્વરૂપ બહુજ સુંદર રીતે ખનાવવામાં આવ્યું છે. દ્રવ્યગુણ પર્યાય, જીવપુદગલ કથન, અષ્ટકમ વિવરણ, તેના નિવારણના ઉપાયા, નવતત્ત્વનું સ્વરૂપ, સ્યાદવાદ સ્વરૂપ, આદિ અનેક મહુત્વના પ્રશ્ના અધ્યાત્મિક દ્રષ્ટિ તેમજ વ્યવહારદ્રષ્ટિએ તથા નિશ્ચયદ્રષ્ટિએ ચર્ચા છે. વ્રજભાષા ( માની ) બહુજ સુંદર હાય છે. તેમાં પણ આવા ગહન વિષયરૂપી સૂત્રમાં જ્ઞાન અને દ્રવ્ય નયતત્ત્વ નિક્ષેપા પક્ષ પ્રમાણ આદિ આત્મસુવાસ વરતાં પુષ્પા ગુથી આત્મ સાધક ભવ્યાત્માંના કંઠમાં તે ઉપકાર બુદ્ધિથી અર્પણ કરવામાં આવેલ છે તેથી તેની સુન્દરના હુઝારા ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com