SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કી કુતરાન એ તેમને પોતાની ભાવના જનન સંભળાવાવાતાં આવે તે તેનું ફળ પૂર્ણપણે પ્રાપ્ત ન થતાં અલ્પશેજ મળે. જેમ એક જટિલે સ્વપ્નમાં પોતાના મુખને વિષે ચંદ્રપ્રવેશતે જે. ને સ્વપ્ન કેઈ અપાત્રને કહેતાં તેણે તેનું ફળ મિષ્ટ ભજનની પ્રાપ્તિ કહી ને એમજ થયું. આમ વિચારકરી યોગ્ય પાત્ર શોધતાં હતાં તેવામાં સદ્ભાગ્યે વિહારકરતા કરતા મહા શ્રી પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિજી ત્યાં પધાર્યા. શ્રીમનાં જનક જનની તેમને વાંદવા ત્યાં આવ્યાં, અને ભક્તિ ભાવપૂર્વક વંદન કરી ધનબાઈએ સૂરિજીને પોતે તેમને પિતાને હાથ જોયા વિનંતી કરી. તેમણે શ્રુતજ્ઞાન આધારે ગર્ભમાં રહેલ પુત્રને બહુશુભ લક્ષણવંત દેખે. અને તેનું ભવિષ્ય ધનબાઈને જણાવ્યું. તે પછી પિતાને આવેલ સ્વપ્ન સૂરિજીને નિવેદન કરી ફળ પૂછતાં અનેક શુભ આત્મગુણે વિભૂષિત મહાત્યાગી પુત્ર રતન તેમને થશે એમ ફળ કહ્યું. પણ તે પુત્રરત્ન નિધાન તેમના જેવા રંકને ત્યાં રહેશે નહીં એમ જણાવી વિચરી ગયા, તે પછી પૂર્ણ સમયે સં. ૧૭૪૬ માં ધનબાઈને પુત્ર જન્મે. લાલનપાલન કરાતા તે પુત્રનું નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું, અને આઠ વર્ષની શિશુવયમાં તે તેમણે જ્ઞાનના પાઠ ભણવા માંડયા, અને પુત્રનાં લક્ષણ પારણામાંથીજ પ્રકa થવા લાગ્યાં. ગુરૂચરણે અર્પણ. એવામાં પૃથ્વીતલને પાવન કરતા વિચરતા વિચરતા શ્રીમદ્ રાજસાગરજી પાઠકજી ત્યાં પધાર્યા, અને તેથી શ્રીમનાં માતાપિતા ગુરૂશ્રીને દેખી ઘણાંજ હર્યાન્વિત બન્યાં, અને પુત્ર જન્મની હકીકત કહી. તેમણે બહુ ગુણયુક્ત બાલ શિરોમણિ શ્રી દેવચંદ્રને ગુરૂચર મુકયે. આ શુભ લક્ષણવંત ભવ્યાત્મા દેવચંદ્રને જોઈ હર્ષિત બની ગુરૂશ્રીએ તેને અંતથી શુભાશિષ દઈ અમિ નઝર વવી. આ પ્રસંગે હર્ષવડે પુલકિત અંગવાળાં તે બન્ને પતિ પનીએ ગુરૂદેવને તે દિવ્ય બાળક વહેરાવે. ગુરૂદેવે પણ ભવિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy