SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ XLI જીવને કે વ્યથા ન ઉપજે તેની સંભાળ રાખીને કામ જેટલે આક્રોશાદિ હોય તે કરે, અને તેથી વિપરીત પણે નિર્દય રીતે નિષ્કારણ ગમે તેમ માડું બેલે તથા કરે તે નિરપેક્ષ વ્યવહાર જાણ, વળી ધમને વિષે સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગને તથા નિશ્ચયને પામવા માટે જે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે, અને તે થકી રહિત એકાંત વ્યવહાર પ્રવૃત્તિ, અવિવેકે આચરે તે નિરપેક્ષ જૂઠે વ્યવહાર જાણો, અને જ્યાં વ્યવહાર જૂઠો છે, ત્યાં ધર્મ તો હેયજ કયાંથી. કહ્યું છે જે વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રાચે.” (આનંદઘનનું અનંતનાથ સ્તર) ૫૪ આમ આનંદઘનજી અને યશોવિજયજીને પૂજ્ય મહાપુરૂષ ગણું તેમનાં અવતરણે લીધાં છે. વળી તપગચ્છના જયસેમ (છએ કર્મ ગ્રંથના સં. ૧૭૧૬ માં બાલાવબોધ કર્તા) ને ઉલ્લેખ પણ કર્યો છે (૧-૫૬); સ્વગ૭ ખરતરના શ્રીસાર મુનિની આણંદ શ્રાવક સંધિમાંથી અવતરણ લીધું છે. (૧-૮૭૦, વિચારરત્નસાર પ્રશ્નોત્તર નં. ૨૨૪) અને સમયસુંદરની કલ્પટીકામાંથી અવતરણ લીધું છે (૧–૯૧). પુણ્યરૂચિ શિષ્ય આણુંદરૂચિની એક ટૂંકી કૃતિ પણ ઉતારી છે (૧-૮૦૩) અને પિાર્ણમિક ગચ્છના ભાવપ્રભસૂરિને પોતાના સહસરૂટ સ્તવનમાં ઉલ્લેખ કર્યો છે (૨-૨૪). કટુકમતિ કે જેઓ ખરા સાધુની આ કાલમાં વિદ્યમાનતા માનતા નથી તેઓના મંતવ્યોને ઉત્તર મંડનશૈલીમાં પ્રમાણપૂર્વક આપેલ છે (૧–૯૩૭). અને અમૂતિપૂજક એવા ટૂંકીઆ સ્થાનકવાસીઓના મંતવ્યના ઉત્તરરૂપ પ્રતિમાપુપપાસિટિ નામને ગદ્યલેખ તેજ પ્રમાણે લખેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy