________________
XIV પામ્યા. પાછળ ઉત્સવથી માંડવી કરી ઘણું દ્રવ્ય દાનાથે અચ સર્વ શ્રાવકેએ મળી શબને દાહ દીધે.
૯ રાસકર્તા કહે છે કે તેઓ આસન્નસિદ્ધ હતા, ને અનુમાને જે દરેક ભવમાં આરંભમાં ભાવથી કર્મને વંસ કરતા રહી ધમવનમાંજ જીવન સતત ગાળશે તે સાત આઠ ભવે સિદ્ધિને વરશે. વળી તે કહે છે કે તેમના મસ્તકમાં મણિ હતી તે હાથ આવી નહિ. મહાજને દાહસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રાતષ્ઠિત કરી. (આ માટે વિશેષ બારીક શેખેળ કરવાની જરૂર છે) ત્યાર પછી થોડા દિવસે મનરૂપજી સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય રાયચંદજી રહ્યા કે જે ગુરૂ પ્રમાણે વર્તાને રાખી ગુરૂનું ધ્યાન ધરતા હતા. તેમણે કર્તાને ગુરૂની સ્તવના કરવા કહ્યું તેથી તેણે આ સં. ૧૮૨૫ આ સુદ ૮ રવિવારે દેવવિલાસ રાસ રચી પૂર્ણ કર્યો.
વિશેષમાં કર્તા આ રાસના પ્રારંભમાં જ દેવચંદ્રજીમાં ૨૨ ગુણે જણાવે છે તે નેધવા લાયક છે –“૧ સત્યવક્તા ૨ બુદ્ધિમાન ૩ જ્ઞાનવંત, ૪ શાસ્ત્રથાની, ૫ નિષ્કપટી, ૬ અક્રોધી, ૭ નિરહંકારી, ૮ સૂત્ર નિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ આદિમાં નિષ્ણાત), ૯ અન્ય સકલ શાસના પારંગામી (અલંકાર, કૈમુદી, ભાષ્ય, ૧૮ કેષ, સકળ ભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્ય, વરેદય, જ્યોતિષ, સિદ્ધાન્ત, ન્યાયશાસ, સાહિત્યશાસાદિ વપર શાસ્ત્રમાં પ્રવીણ). ૧૦ દાનેશ્વરી (દીનપર ઉપકાર કરનારા), ૨૧ વિદ્યાના દાનની શાળાપર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વિદ્યાદાન દેનાર તેમ જ અન્ય ધમીને વિદ્યા શિખવનાર) ૧૨ પુસ્તક સંગ્રાહક ૧૩ વાચક પદ પ્રાપ્ત, ૧૪ વાદીપક, ૧૫ નુતન ચિત્યકારક, ૧૬ વચનાતિશયવાળા ( તેથી ધર્મસ્થાને દ્રવ્ય ખર્ચાવનાર), ૧૭ રાજેન્દ્ર પ્રધાન પૂજિત, ૧૮ માર ઉપદ્રવ નાશક, ૧૯ સુવિખ્યાત, ૨૦ ક્રિાદ્ધારક, ૨૧ મસ્તકમાં મણિધારક અને ૨૨ પ્રભાવક.” આમાનાં ઘણાંક વિશેષણે પ્રાયઃ એગ્ય અને સાર્થક ગણી શકાય. હવે આપણે સ્વતંત્ર રીતે દેવચંદ્રજી સંબધી જદ્ધ જદી હકીકત જદી જદી દષ્ટિથી જોઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com