________________
કર : સામે ઉભા રહ્યા. શ્રીમદે તેને શાંત કર્યો, પછી તે ચાલ્યો ગયે. પાછળ આવનાર ગૃહસ્થો તે આવું દેખી આશ્ચર્ય પામ્યા. અહિં સાયા પ્રતિષ્ઠામાં વૈરત્યાગ: આ મહાન સૂત્ર વચન ખરૂં પડયું.
જામનગરમાં જૈન દેરાસરનાં તાળાં તોડયાં.
એક વખત જામનગરમાં મુસલમાનેનું સામ્રાજ્ય વધી ગયું હતું. એક જૈન દેરાસર હતું તેની મૂતિને ભેંયરામાં સંતાડવામાં આવી હતી, મુસલમાનેએ જબરાઈથી તેને કબજે લેઈમ
જીદ તરીકે તેને ઉપયોગ કર્યો હતે. કેટલાક વર્ષ સુધી જેનેએ આ બાબત સહન કરી લીધી પણ પાછું તેમનું જોર ઓછું થતાં અને હિન્દુરાજ્યનું જોર વધતાં જૈનેએ રાજા આગળ ફરિયાદ કરી, પણ જૈનેનું કંઈ વળ્યું નહીં. બાહ્યથી અને અંતથી તે જૈનદેરાસર હતું એમ ત્યાંની અઢારવણું કબુલ કરતી હતી પણ ચમત્કાર વિના નમસ્કાર થાય નહીં એવી સ્થિતિ થઈ છે. એવામાં શ્રીમદ્દ દેવચન્દ્રજી મહારાજ વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાની સમક્ષ જૈન દેરાસર સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો અને મુસભાનેએ મજીદ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છેવટે રાજાએ એ ઠરાવ કર્યો કે દેરાસરને તાળાં લગાવવામાં આવે અને જે પિતાના પ્રભુના નામે પ્રાર્થના કરી ઉઘાડે અને ઉઘડે તેને તેને કબજે સેંપવામાં આવશે. આ પ્રમાણે ઠરાવ કરીને ફકીરેને પહેલી તક આપી, ફકીરાએ ખુદાના નામે કુરાન વાંચી પ્રાર્થના કરી પણ મૂળ જૈન દેરાસર હતું તેથી તાળાં તૂટયાં નહીં. પછીથી શ્રીમદ્દ દેવચંદ્રજીને વારો આવ્યો. તેમણે જિનેન્દ્ર પરમાત્માની સ્તુતિ કરીકે તડાક દઈને તાળાં તૂટીને હેઠાં પડ્યાં. પશ્ચાત વૃદ્ધ શ્રાવકએ રાજાને ભોંયરું જે ગુપ્ત હતું તે દેખાડયું અને તેના દ્વારનાં તાળાં પણ જિનેન્દ્ર પરમાત્માની સ્તુતિથી તૂટી ગયાં અને તેમાંથી ઘણું મૂર્તિ નીકળી તે પાછી વિધિપૂર્વક દેરાસરમાં સ્થાપન કરવામાં આવી. શ્રીમદુના ચમત્કારે દેખીને જામગરને રાજ અને પ્રજા ખુશ થંઈ ગઈ અને જૈન ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com