SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ બાદ કયાં જતા હતા તેની કેઈને સમજણ પડતી નહોતી, એક વખતે રાત્રીએ તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રીમને વનદના કરી બેઠો તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યું કે હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપની દેશના મેં ચાર માસ સુધી સાંભળી. આ વખતે ભરતક્ષેત્રમાં તીર્થકરની પેઠે આત્મસ્વરૂપ વ્યાખ્યા કરે છે તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. ધરણેન્દ્ર શ્રીમને કંઈ માગવાનું કહ્યું ત્યારે શ્રીમદે કહ્યું કે અનંત દુઃખને નાશ કરનાર અને અનંત સુખને પ્રગટાવનાર આત્માના શુદ્ધાપાગ વિના મારે અન્ય કોઈ વસ્તુની ચાહના રહી નથી. ધરણેન્દ્ર આવું સાંભળીને તેમને ધન્યવાદ આપે. ધરણેન્દ્ર સર્વસાધુઓને પોતાની પ્રતીત થવા માટે એકદમ ઉત્તર વૈક્રિય શરીર પ્રગટ કરી દેખાડયું તેથી સર્વેની આંખે અંજાઈ ગઈ અને ઉપાશ્રયમાં અજવાળું અજવાળું થઈ ગયું. આથી સાધુએને શ્રીમદ્ દેવચંદ્ર મહાપુરૂષ છે અને તેમનાં વચન આરાધ્ય છે એ નિશ્ચય થયો. મહાત્માએ દેવતાઓને આરાધતા નથી તો પણ દેવતાઓ તેમની પાસે આવે છે. અધ્યાત્મજ્ઞાનીમહાત્માએમાં અનેક પ્રકારની લબ્ધિ પ્રકટે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. સિહ શાંત થઈ પગે લાગ્યો. શ્રીમદ્દ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વ તેની પાસે થઈ જવાને રસ્તે હતું, પર્વતની નીચે એક સિંહ બેઠેલે હતે. ઘણી વખત ત્યાં થઈ જનાર મનુને તે ખાઈ જતે હવે, શ્રીમદ્ ત્યાં વિહાર કરવા લાગ્યા. તેમને કેટલાક લેકેએ વાર્યા તે પણ તેઓ પાછા વળ્યા નહીં, અને કહા લાગ્યા કે મારે સર્વજીની સાથે મૈત્રીભાવ થયો છે માટે ભય નથી, તેઓ જ્યાં સિંહ બેઠો હતો ત્યાં થઈ જવા લાગ્યા. આ વખતે સાથે આ પ્રસંગ દેખી ગૃહસ્થ પણ આવ્યા હતા. પેલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા. શ્રીમદને દેખી સિંહ બરાડા પાધિ ઉઠ અને બીમાની પાસે આવ્યો અને તેમના પગે પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy