SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૫૨ ની સાલમાં અમારું બે વર્ષ સુધી આજેલમાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે સંઘના આગ્રહથી રહેવાનું થયું હતું તે પ્રસંગે શ્રીમની વીશી વગેરે કઠાગ્ર કરી હતી. વૃદ્ધ યતિજી વગેરેએ આજ સુધી કહેલી કિંવદન્તીએ નીચે પ્રમાણે લખવામાં આવે છે. શ્રીમદે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે તે બાલ્યાવસ્થામાં હતા. તે એક વખતે કાઉસગ્ગમાં હતા ત્યારે એક ભયંકર સર્ષ આબે અને શ્રીમન્ના શરીર પર ચઢવા લાગ્યો. શરીર પર ચઢીને તે શ્રીમના ખેાળામાં બેઠે. તે વખતે આજુબાજુના સાધુએ ગભરાવવા લાગ્યા તે પણ શ્રીમદ્ જરામાત્ર ચલાયમાન થયા નહીં, શ્રીમદે કાઉસગ્ગ પાર્યો ત્યારે તે સર્ષે કુત્કાર કરતે ખેાળામાંથી ઉતર્યો અને સામે બેઠે. શ્રીમદે તેને સમતા ભાવનાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડેલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિને દેખીને બીજા સાધુઓ ખરા હૃદયથી શ્રીમદ્દના ધેર્યની પ્રશંસા કરવા લાગ્યા કે કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રગટ થઈ છે. તેઓ બાલ્યાવસ્થામાં એક દિવસમાં બસે કલેક મુખે કરતા હતા અને તે વિસરી જતા નહોતા. ધરણેન્દ્રનું વ્યાખ્યાન સાંભળવા માટે બ્રાહ્મણના રૂપે આવાગમન. શ્રીમદ્ મારવાડમાં મેટાકટ મોટમાં ચોમાસું રહેલા હતા તેમની દેશના આત્મસ્વરૂપની હતી. દરરોજ વ્યાખ્યાનમાં સર્વ દર્શનના લેકે આવતા હતા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણ જે મનુષ્ય આવતે હતે તેની કેઈને ખબર પડતી નહોતી. શ્રીમદ્દ મહાપાધ્યાય યશવિજયજી કૃત જ્ઞાનસારનું દરરોજ વ્યાખ્યાન કરવામાં આવતું હતું. શ્રીદેવચંદ્રજી મહારાજ તેનું અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રોતાઓના આત્માઓમાં જ્ઞાનરસ છલકાઈ જતે હતે. પેલે વૃદ્ધ બ્રાહ્મણ પણ આનંદથી ઉલ્લસિત થઈ જતું હતું. તે બેલ નહોતે તેમજ વ્યાખ્યાન પૂર્ણ થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy