SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પછી વિનીત એવા સંતશિએ ગુરૂદેવને દશવૈકાલિક સૂત્ર તથા ઉત્તરાધ્યયનસૂત્ર સંભળાવવા માંડયાં. જે શ્રીમદે ઉપવેગપૂર્વક સાંભળવા માંડયાં તથા તે તમામ સૂત્રેને જેવાં કહે છે તેવાં જ સત્ય યથાર્થ જાણતા ગણતા થકા શ્રી અરિહંતનું એકાગ્ર ચિત્તે ધ્યાન, હૃદયમાં ધરવા લાગ્યા. આમ શ્રી જિનેશ્વરના ધ્યાનપૂર્વક નમસ્કાર મંત્રની આરાધનપૂર્વક પૃથ્વીતલને પિતાના લલામભૂતજ્ઞાનવડે વિભૂષિત કરતા એવા મહાન અધ્યાત્મ જ્ઞાનગાગનદિનમણિ-સત્કવિકાનનકેશરી પ્રખરવાદી વિનેતા અનેક મહાગ્રંથપ્રણેતા, વિદ્યાભાસ્કર ખરતરગચ્છ શિરતાજ શ્રીમદેવચંદ્રજી મહારાજ સં. ૧૯૧૨ ના ભાદ્રપદ અમાવાસ્યાની એક પ્રહરરાત વ્યતીત થયે ડેશીવાડાના ઉપાશ્રયમાં દેવગતિને પ્રાપ્ત થયા, અને તેમના શિષ્ય પરિવાર તેમજ તપગચ્છના સાધુ તથા શ્રાવક શ્રાવિકા આદિ સંઘમાં સર્વત્ર હાહાકાર પૂર્વક એક છવાઇ રહ્યો. શ્રી સંઘ હવે પિતાના કર્તવ્ય પ્રતિપાલનમાં તત્પર બની રહ્યો. તેમણે ઉત્તમ કાષ્ટની શબવાહિકા (પાલખી) બનાવી. તથા ચારાશીગચ્છના શ્રાવક ભેળા મળ્યા. અને ભારે આડંબરપૂર્વક એ માંડવીમાં શ્રીમના દેહને પધરાવી સ્મશાન લાવવામાં આવી. તથા કસ્તુરી, કેશર અગર–ચંદન આદિ સુવાસિત તથા બહુ મૂલ્ય વસ્તુઓની ચિતા રચીને તેમાં રડતે મુખે શ્રીમના ચુલઅચેતન-મૃતદેહને પ્રતિપદાએ અનિદાહ દેવામાં આવ્યું. આ દહનક્રિયામાં ગુરૂભક્ત શ્રાવકેએ – ગુરૂ પુઠી દ્રવ્ય ઘણે ખરચંતઃ • ઘણું દ્રવ્ય ખરચ્યું. તથા તેમની મૃત્યુતિથિએ સામિ વાત્સલ્ય જમાડતા તથા અન્ય અછાલિકા મહાત્મવાદિમાં ઘણું દ્રવ્ય ખરચવામાં આવ્યું. - જે ગુરૂછીના વચનથી પૂર્વે પણ અનેક શ્રાવકોએ સન્માર્ગે પિતાના દ્રવ્યને વાપરી પિતાની લક્ષ્મીને વિભૂષિત કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy