SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હવે શ્રીમદ્દ દેવચંદ્રજીએ રાજનગર ક્ષેત્રમાં પિતાની સ્યાવાદ શૈલી યુક્ત ગૂઢ ગંભીર જ્ઞાન સાધની વર્ષોની ઝડીઓ વરસાવવા માંડી. રાજનગરને તત્ત્વજ્ઞાસુ શ્રેતા સમુદાય ચાતકની પેઠે અતિ ઉલ્લાસ પૂર્વક આ અણમૂલ ઉપદેશ રૂપી અમૃતનું પાન કરવા લાગ્યા. આ સમયે શ્રીમના વાણું સુધાવર્ષણ માટે કવિ પણ કર્થ છે કે – તે હવે દેશના સાંભળે, શ્રાવક શ્રાવિકા જેહ. વાવ જલ આષાઢ મ. વરસે દેવની ઘનગેહ. શ્રી. કે. વિ. પૃ. ૨૪. આવી તત્ત્વજ્ઞાસુ શ્રોતા મંડળ પાસે શ્રીમદ્ અઢાર પાપસ્થાનકને અધિકાર વિસ્તાર પૂર્વક સાંભળવા લાગ્યા, અને આ અઢાર વાપસ્થાનક નિવારી સમકીત પ્રાપ્તિના હેતુ રૂપ સમનય, નિક્ષેપ, જીવાજીવ, ચોદ ગુણ સ્થાનક આદિ અતીવ ઉપયોગી અને જાણવા ગ્ય વિષ પર બહુ ઉત્તમ પ્રકારની ઝીણવટથી વ્યાખ્યા કરી. આ પછી ભગવતી સૂત્ર જેવા ગહન ગ્રંથનું વાંચન શરૂ કર્યું – ભગવાઈ સૂત્રની વાંચના, સાંભળે જનના વૃદ. વાણી મીઠી પીયુષ સમ, ભાંખે શ્રી દેવચંદ. શ્રી. કે. વિ. પૃ. ૨૯ આ અમૃત સમાન ઉપદેશના શ્રવણથી માણેકલાલજી નામે એક શ્રાવક કે જેને ઢંઢકને પાસ હોવાથી પ્રતિમા પૂજા પરની તેની શ્રદ્ધા ડગી ગયેલી, તેને ઘણીજ ઉત્તમ અસર થઈ. ગુરૂશ્રીએ તેને ખાસ ઉપદેશ આપી બુઝ તથા પ્રતિમા પૂજાની ૮. શ્રદ્ધા કરવી તેની મિથ્યાત્વની કાશ કાઢી નંખાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy