SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગાયત્ર નામની બ્રહ્મશક્તિ ત્રિલોકીને ઘડે છે, અને ત્રિલોકીથી પર પણ રહે છે. વળી તે વેદત્રયીના સારરૂપ છે, માટે વેદત્રયીના રહસ્યને જણવનારી છે. આ ગ્રેવીસ અક્ષર વડે ઘડાયેલી, ત્રણપાદમાં રચાયેલી, ત્રણ વ્યાહતિમાં બીજભાવે રહેલી અને પ્રણવની ત્રણ માત્રામાંથી પ્રતિબલ મેળવનારી શક્તિ દ્વિજોનું પરમદેવત છે આ આદ્યા શક્તિને માયારૂપા એટલે મિથ્યા માની નથી. જે અગ્નિને દાહ પ્રકાશધર્મ મિથ્યા માનીએ તે અગ્નિનું સ્વરૂપ જ બંધાતું જેમ નથી, તેમ સ૬ વસ્તુના સ્વયંસ્કુરણ પામવાના સામર્થ્યને (મિતિ), અને સ્વયંતૃપ્તિ દર્શાવવાના વેગને (મા ) આપણે જે મિથ્યા માનીએ તો બ્રહ્મવસ્તુનું સ્વરૂપ જ ઘડાતું નથી. બ્રહ્મવસ્તુના સ્વભાવધર્મો અને ઔપાધિક ધર્મો જુદા છે. જે સ્વભાવધર્મો છે તે બ્રહ્મની શક્તિરૂપ છે; જે ઔપાધિક ધર્મો છે તે બ્રહ્મના ગુણે છે. જેમ મહાસમુદ્રમાં અંતઃસ્પદ થવાથી તરંગવાળી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને પુનઃ નિસ્તરંગ સ્થિતિ થાય છે, તેમાં સમુદ્રનું સમુદ્રત્વ બંને અવસ્થામાં જેમ કાયમ રહે છે, તેમ બ્રહ્મચેતન્યની સ્પંદવાળી એટલે સ્વયં સ્વરૂપને ઓળખનારી સ્થિતિ (જેને વિમ નામ આપવામાં આવે છે ), અને પુનઃ અંતમુખ થવાની સ્થિતિ બ્રહ્મના બ્રહ્મત્વને બાધ કરનારી નથી. એક વસ્તુ અનેકાકાર ભાસે તેમાં જે વસ્તુ ભાસે છે તે મિથ્યા નથી, પરંતુ સત્ય છે; પરંતુ તેના આકારમાં સત્યત્વબુદ્ધિ થવી, એ ભ્રમ છે. આ કારણથી શક્તિવાદમાં બ્રહ્મનું વિશ્વમય ભાસવું તે ખાટું નથી, પરંતુ જે ભેદો ભાસે છે તે સ્વતંત્ર ખરા છે, આ બુદ્ધિ ભ્રમરૂપા છે. વિશ્વ ૪ વયિત્રના રહસ્ય વિવરણ સારૂ જુએ પથગ્રામ ૨-૨–૨૮ ગાયત્રી ઉપનિષદૂ, છાનો રૂ-૨૨; . . ૭-૪ મરાયt-પ્રપાઠક ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy