SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું બ્રાહ્મણ અને આરણ્યકમાં વ્યક્ત થતા શક્તિવાદ શક્તિવાદનું બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથમાં સાહિત્ય अष्टचक्रा नवद्वारा, देवानां पूरयोध्या तस्यां हिरण्मयः कोशः स्वर्गों लोको ज्योतिषावृतः ॥ (તૈત્તિરીય મા. પ્ર. ૬ ૫. ૨૮) સંહિતાકાળમાં એક રાત બ્રહ્મની વ્યાપક દેવતામયી શક્તિનું સ્પષ્ટ ઉપાસ્યરૂપ બ્રાહ્મણેમાં અને આરણ્યક ગ્રંથોમાં પ્રકટ થયું છે. તેમાં વેદત્રયીનાં બ્રાહ્મણ તથા આરણ્યકમાં બ્રહ્માચતન્યની શુદ્ધશક્તિને પાવરો, સાવિત્રી, વરસતો ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. તેમાં સંતાના સ્વરૂપને ગાયત્રી મંત્રના ગાન વડે ત્રાણ એટલે રક્ષણ કરનારી શક્તિનું નામ ગાયત્રી આપવામાં આવ્યું છે. તેના અધ્યાત્મતેજને મને સંજ્ઞા આપવામાં આવી છે. તે તેજ આ વિશ્વને ભરે છે, વિશ્વમાં તે રમે છે, અને વિશ્વને તેમાં છેવટે લય અથવા ગતિ થાય છે, તેથી ગાયત્રી દેવી ભરણ, રમણ અને ગમન કરનાર હોવાથી મામલો, તે થી , તમચો ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. તેમાંથી વિશ્વને પ્રસવ થાય છે તેથી તેનું નામ રવિ કહેવાય છે. તેમાંથી બ્રહ્મવસ્તુને આનંદરૂપ પ્રવાહ-–વહે છે; તેથી તેનું નામ સરકતી આપવામાં આવે છે. બ્રહ્મશક્તિ પ્રાણમયી, જીવનમયી, આનંદમયી હવાથી બ્રહ્મના સ્વભાવધર્મોને પ્રકટ કરનારી હેવાથી સંધિવામ ગણાય છે, અને તે સ્વભાવધર્મોને વ્યક્ત અથવા પ્રકટ કરવાનું અંતર્બલ જે ધર્મીમાં રહ્યું છે તે પરબ્રહ્મ ઇત્યાદિ નામથી વ્યવહરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy