SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? કરે છે, તે પાપને નહિ જાણનારા અનાર્ય માણસો તેની સેવા કરે છે–તેનું ગ્રહણ કરે છે. પરંતુ કુશલ મનુષ્યમાંસભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્ય તેની અભિલાષારૂપ મન પણ ન કરે. અરે એવી વાણું પણ એમને બુકી થઈ ગયેલી હોય છે. મિથ્યા છે. અર્થાત એવી વાણી પણ બોલતા નથી. આ પ્રમાણે ન કેવળ માંસાહારનો જ નિષેધ કરવામાં આવ્યા છે, સમસ્ત પ્રાણુઓ ઉપરની દયાના કારણે સાવદ્ય આરંભ સમજીને મહાવીરના સાધુઓએ ઉદ્દિષ્ટ-દાનને માટે પરિકપેલા આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ મતલબને કહેનારી ગાથા તે પછીની જ છે. તે આ રહી– सव्वेसिं जीवाण दयट्ठयाए सावजदोसं परिवजयंता । तस्संकिणो इसिणो नापुता उद्दिट्ठभक्तं परिवज्जयंति ॥ આ બધા પ્રમાણે ઉપરથી એક બાળક પણ સમજી શકે એવું ચોખ્ખું થયું છે કે, જેઓ એમ બતાવે છે કે જેન સૂત્રમાં માંસાહારનું વિધાન છે, તેઓ યા તે જેન ધર્મ ઉપરના દ્વેષથી કહે છે, અથવા તો તેઓ જેનસૂત્રોના રહસ્યોથી હજૂ હજારે કેશ દૂર છે. કઈ પણ વિષયનો પૂરો અભ્યાસ કર્યા વિના એકાએક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy