SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સહકાર. કે જેમના ઉપદેશ ઉપર આખી સમાજના કલ્યાણનો આધાર છે, તેઓ પોતાના આપસના અસહકારથી આખા સમાજની દશા કેવી કઢંગી કરી મૂકે છે, એનાં ઉદાહરણ આપવાની જરૂર છે શું ? આવી અવસ્થામાં સમજુ ગૃહસ્થો–કે જેઓ કેઈન રામાન્ય બન્યા નથી–તેઓ તો કોઈ પણ કાર્ય પોતાની મુનસફી ઉપર જ કરે છે. તમે “ગમે તેમ ઉપદેશ આપે, અમે અમારું મનનું ધાર્યું કરીશું.” “અમારા ગામના સંઘની અનુકૂળતા–વિચાર પ્રમાણે થશે.કમનસીબે જે સાધુ પોતાના વિચાર પ્રમાણે કરવાને આગ્રહ કરવા જાય છે, તો તે સાધુને ગૃહસ્થ રેકડું જ પરખાવે છે. આવી સ્થિતિમાં સાધુની કિંમત વધે છે કે ઘટે છે, એને વિચાર તેઓએ કરવો ઘટે છે. આ બધું એક “અસહકાર” ના પરિણામે બને છે. જે સાધુઓના ઉપદેશમાં–વ્યવહારમાં વર્તનમાં સહકાર હોય, એક બીજાની સહાનુભૂતિ હોય, તો કેટલું સુંદર કામ થઈ શકે ? આ જ દશા ગૃહસ્થની છે. ગૃહસ્થામાં ખાસ કરીને આગેવાનોએ–ધનાલ્યોએ જે એક બીજાની સાથે સહકાર રાખે હત, તે આજે સમાજની આ દશા ન થાત. ગૃહસ્થમાં, એક શેઠીયે બીજા શેઠીયાની ચઢતી જોઈ શકતો નથી. એક ગૃહસ્થ એક કામ કરે, એને બીજે જરૂર વડે–સંઘનાં કાર્યોમાં એક ગૃહસ્થ એક વિચાર મકે, તેને બીજે તોડવાજ તૈયાર થાય. એક મંદિરના બે ગૃહસ્થ ટ્રસ્ટી હોય, તે તે બેમાં પણ સહકાર ન મળે. એક પેઢીમાં બે ચાર ગૃહસ્થો વહીવટ કરતા હોય, તે તેમાં ચે એક બીજાને અસહકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy