SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. શું છે? અને એ કમનસીબીનાં—એ અસહકારનાં કેવાં દુષ્ટ પરિણામે આપણે ભેગવી રહ્યા છીએ, એ કેઈથી અજાણ્યું છે કે ? જૈન સમાજનું મુખ્ય અંગ–સાધુ સાધ્વી. એમાં કેટલે અસહકાર છે? એક સાધુ એક કામ કરે, એને બીજો અનુમેદશે નહિં, બલ્ક ચુપ પણ નહિં રહે, પરંતુ તે પિતાની શક્તિને ઉપયોગ તે કાર્યને તોડી પાડવામાંજ કરશે. એક સાધુ એક ગામ જે ઉપદેશ આપી ગયા હોય, એથી વિપરીત જ બીજા આવીને ઉપદેશ આપશે. એક સાધુ, અપવિત્ર કેશર વાપરવાની ના પાડશે, તો બીજે પવિત્ર કે અપવિત્રને ખ્યાલ દૂર કરાવી તેને વાપરવાનીજ હિમાયત કરશે. એક સાધુ સાધારણ ખાતાની પુષ્ટિ કરશે, તો બીજે તેના ઉપદેશને કાપવા માટે જ દેવદ્રવ્ય વધારવાની હિમાયત કરશે. એક શુદ્ધ વસ્ત્રો વાપરવાની હિમાયત કરશે, તે બીજે તેનું ખંડન કરશે. એક જ્ઞાન પ્રચારની આવશ્યક્તા બતાવશે, તે બીજે ખાસ ઈરાદા પૂર્વક જ-ઉજમણું–ઉપધાન અને સંઘ કાઢવા તરફ જોર દેશે. એક કેઈ સંસ્થા માટે કોઈ ગૃહસ્થને ઉપદેશ આપશે, તે બીજે તેને ના પાડશે. સાધુઓની આ સ્થિતિથી સમાજની ત્રિશંકુ જેવી સ્થિતિ થાય, એમાં આશ્ચર્ય શું છે? હું તે કહું છું કે સહકાર કરે તે દૂર રહ્યો, સાધુએ એક બીજાના કાર્યમાં વિનભુત ન થાય, તો પણ ગનીમત છે. “ પપ્પા પાપ ન કર્યું, તે પુણ્ય કર્યું સ વાર” એવું અત્યારે મનાય. પરંતુ સાધુઓ ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy