________________
( ૮૩ )
ભારતવાસી પ્રજાને સ્વરાજય આદિ કોઈપણ પ્રકારના શ્રેયની આશા રાખવી, એ વંધ્યાપુત્ર સમાન, આકાશકુસુમસમાન, મૃગતૃષ્યિકાસમાન, શશશંગસમાન, ગગનગંધર્વનગરસમાન તેમજ સિક્તાતૈિલસમાન છેઅર્થાત કે સર્વાશમાં મિથ્યા છે અને પૂર્ણશે નિરર્થક છે, એટલું જ નહિં કિંતુ પરિણામે પ્રજાને એકદમ અધ:પાત અને દારૂણ દુર્દશા થશે. આ મારા શુદ્ધ હૃદયને પવિત્ર સંદેશ કોઈપણ સજીનવીર ગાંધીજીના કાનોકાન લઈ જવા જરૂર પરિશ્રમ લેશે, એમ હું આશા રાખું છું તથા તેમના તરફથી મળતા પ્રત્યુત્તરની પણ હું સાથોસાથ જ આશા રાખું છું.
વિ. સં. ૧૯૮૧ માઘ શુકલ)
૩નાલાલ છાટમલાલ
દશમી. તા. ૩–૨–૨૫
ભૌમવાર, ભાવનગર, છે
બેહરા.
આ “પવિત્ર સંદેશને પણ અદ્યાપિપર્યત મને ગાધીજી તરફથી પ્રત્યુત્તર નહિં મળતાં અત્ર સ્થલે પુનઃ લખી દર્શાવવાની આવશ્યક્તા મને પ્રતીત થાય છે કે મધ્યાહના માર્તડના પ્રકાશ જેવી સ્પષ્ટ આ લેખ માંહેની અંત્યજ સ્પર્શ નિષેધ કરનારી સર્વ હકીક્ત નિષ્પક્ષપાતપણે એકાગ્રચિત્તથી જાણી લીધા પછી પણ અંત્યજસ્પર્શના હિમાથતીઓ જે અંત્યજસ્પર્શ કરવા કરાવવાના અસદાગ્રહ–દુરાગ્રહને પરિત્યાગ કરશે નહિં તે આ રીતે અનેક શાસ્ત્રનિષિદ્ધ આચરણ દ્વારા ક્રમશઃ ઉત્તરોત્તર સર્વ ધર્મ મર્યાદાઓને લેપ થતાં થતાં મહાત્મા શ્રીભર્તુહરિ લખે છે તેમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com