SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૪ ) शिरः शार्व स्वर्गात्पतति शिरसस्तरितिधरम् महीघ्रादुत्तुंगादवनिमवनेश्वापि जलधिम् । अधो गंगा सेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ અર્થ-ઉત્તમ વિષ્ણુપદથી નીકળેલી ગંગા સ્વર્ગથી પ્રથમ મહાદેવજીના મસ્તક ઉપર પડે છે, તે મસ્તપરથી હિમાલય પર્વત પર પડે છે, તે હિમાલય પર્વત પરથી પૃથ્વી પર પડે છે અને પૃથ્વી પરથી હજારે મુખે સમુદ્રમાં પડે છે; આ પ્રકારે અધધારિણી તેમજ પતિતપાવની સાક્ષાત ભગવતી ભાગીરથી પણ મારા એકજ પગથીયું ચુક્તાં ઉત્તરોત્તર નીચા નીચા પદને પ્રાપ્ત થયાં છે, તે પછી થોડાપણ વિવેકથી ભ્રષ્ટ થયેલા પુરૂષોની પણ હજારો પ્રકારે ક્રમે ક્રમે કરીને અધોગતિ–અવનતિજ થાય છે. અત્રસ્થલે વાચકવૃંદસમક્ષ નિવેદન કરવાની પૂર્ણ આવશ્યક્તા મને જણાય છે કે દેશનેતાઓ આદિને ગુરુપરંપરાન્યાએ આપણું ધર્મશાસ્ત્રોમાં લેશમાત્ર પ્રવેશ નહિ હેવાથીજ સાસ્ત્રવિરૂદ્ધ કુત્સિત અને અધમ વિચારે જનસમાજમાં સર્વત્ર પ્રસરાવી અધર્મનેજ ઉત્તેજન આપી વર્તમાન પ્રજાજનનું ઘેર અનિષ્ટ તેઓ કરી રહ્યા છે, એટલું જ નહિં કિંતુ ભારતવર્ષની નિર્દોષ ભાવી પ્રજાને માટે પણ મહાન અનર્થ અને દારૂણ આપદ્દરૂપી સઘ પ્રાણઘાતક હાલાહલ વિષવૃક્ષનાં બીજેનું આજે પણ તેઓ કરી રહ્યા છે, એ વાત નિઃસંશય છે. વલપિ આથી તે તે દેશનેતાઓ આદિ લેશમાત્ર અટકે તેમ નથી તથાપિ એક વધુ પ્રયાસે તેમને ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરતા કરાવતા અટકાવવા કેવલ શુભ હેતુથી વ્યથિત અને વિદીર્ણ હૃદયે હું નીડરપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035219
Book TitlePunarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Original Sutra AuthorN/A
AuthorLakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
PublisherSanatan Dharm Pravartak Mandal
Publication Year1928
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy