SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીની ઉત્પત્તિ ) દૈવી –કેઈ ગેબી શક્તિથી એક વખતે આકસ્મિક રીતે પૃથ્વી અને સર્વ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. (૬) ભરતી – આ સિદ્ધાંત સૌથી વધુ આધારભૂત ગણાય છે. એ મત પ્રમાણે અવકાશમાં પરિભ્રમણ કરતા સૂર્ય એક વાર બીજા કેાઈ મહાન સૂર્યની ખૂબ નજીક આવી ગયો. એ વખતે સામેથી આવતા બીજા સુર્ય(તારા)ના આકર્ષણથી આપણું સૂર્યની સપાટી ઉપર વાયુ અને પ્રવાહીના પ્રચંડ મોજા ઉત્પન્ન થયાં. એ દરમ્યાન એ તારે સર્યની નજીક આવી અત્યંત વેગથી પસાર થઈ ગયે. આથી કરીને સૂર્યથી ઉછળેલાં મેજ એની પાછળ દૂર ખેંચાઈ ગયાં, પરંતુ એ તારાની નજીક પહોંચી શકે તે પહેલાં એ ઘણે દૂર ચાલી ગયો. ઉછળેલાં માં હવે સૂર્ય તરફ ખેંચાઈ પાછાં પડવાં લાગ્યાં અને ગુરુત્વાકર્ષણથી સૂર્યની ફરતે ચારે તરફ ફરવા લાગ્યાં. એ મેજે અનેક ભાગમાં વિભક્ત થઈ ગયાં અને એમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. આ મતને બીજી પણ એક પૂર્તિ મળે છે. પૃથ્વીના સર્વે દ્રવ્યની ઘનતા * ૫-૫ છે. એને એકમ લેખીએ તે સૂર્યની અને મહેની ઘનતા નીચેના પ્રમાણમાં દર્શાવી શકાય છે: નામ સૂર્ય બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શનિ યુરેનસ ઘનતા ૨૫ ૧૧૨ ૧૦૩ ૧૦૧ ૦૦૨૪ ૧૩ ૧૭૦૧૬ ઉપરના કાષ્ટકથી એમ લાગે છે કે જ્યારે સૂર્યમાંથી છૂટાં પડેલાં મોજાં સૂર્યની ફરતે ફરવા લાગ્યાં ત્યારે ભારેમાં ભારે ભાગ સૂર્યની નજીક આવ્યું અને હલકે ભાગ દૂર રહ્યો. સૂર્યને અને * દરેક વસ્તુની ઘનતાને સરખાવી શકાય એટલા માટે પાણીની ઘનતાને એકમ રાખવામાં આવી છે. એક ઘન સેન્ટીમીટર પાણીનું વજન એક ગ્રામ થાય છે, એટલે એ ઉપરથી દરેક વસ્તુની ઘનતા સમજી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy