SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને ઈતિહાસ બીજા ગ્રહના ઇતિહાસ તપાસતાં પણ બીજા અનેક પ્રમાણે આ વાદને પૂર્તિ આપે છે. સૂર્યમંડળમાં નવા મુખ્ય રહે છે, તેમાં પૃથ્વી મધ્યમ કદની છે. સર્વ ગ્રહ સૂર્યની આસપાસ જુદી જુદી ગતિથી ફરે છે. ઘણાખરા ગ્રહોની ફરતે ઉપગ્રહ ફરતા હોય છે. એ સર્વને સમેટી. લેતે સૂર્ય આકાશમાં એક સેકન્ડના ૨૦૦ માઈલની ઝડપે ગતિ કરે છે. સૂર્યને વ્યાસ ૮, ૬૫,૦૦૦ માઈલને છે. અને વજન ૨૪૧- ૨૭ (બે અબજ પરાર્ધ) ટન છે. પૃથ્વીને વ્યાસ ૮,૦૦૦ માઈલને છે અને વજન ૬૪૧૦૧ (બે હજાર પરાર્ધ) ટન છે. સૂર્યથી નજીક બુધ અને શુક્ર આવે છે અને ત્યાર પછી ૯, ૩૦, ૦૦, ૦૦૦ માઈલ દૂર પૃથ્વી આવેલી છે. સૂર્યમંડળને છેલ્લે ગ્રહ બુટ ૩૭૦ કરેડ માઈલ દૂર છે. આ અંતરના પ્રમાણમાં પૃથ્વી કેટલી સૂક્ષ્મ જગ્યા રોકે છે, એ સમજમાં આવી શકશે. ગ્રહમંડળમાં પૃથ્વીનું કેવડું સ્થાન છે, એ વધુ સ્પષ્ટ રીતે સમજવા એક દાખલો બસ થશે. બે ફટ વ્યાસને ગોળો લઈ એને સૂર્ય તરીકે ગણીએ તે બુધ એક મગના દાણું જેવો લેખી શકાય અને એને ૮૨ ફુટ દૂર મુકવો પડે. શુક્રને પણ એ જ કદને લઈને ૧૪ર કુટ દૂર રાખવો પડે. પૃથ્વી સહેજ મોટા મગના દાણુ જેવડા કદની લઈ સૂર્યરૂપી ગોળાથી ૨૧૫ ફુટ દૂર રાખવી પડે. અને આજ કમ લેતાં છેલ્લે ગ્રહ પ્લેટો દેઢ માઈલ છેટે આવે. સૂર્ય પૃથ્વીથી 3 લાખ ગણે ભારી છે. જ્યારે, કદમાં ૧૦ લાખ ગણ મટે છે. સૂર્યની ફતે સાધારણ લંબગોળ કક્ષામાં પૃથ્વી સેકન્ડના ૧૮૫ માઈલની ઝડપે ફરે છે. એ ઉપરાંત પિતાની ધરી ઉપર ૨૪ કલાકમાં પશ્ચિમથી પૂર્વ તરફ એક વાર ગોળ ફરે છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વીની ચક્રગતિ કાળ જતાં ધીમી_થતી જાય છે. ડાવીનની માન્યતા પ્રમાણે એક સમય એવો હતો કે જ્યારે પૃથ્વીની ચક્રગતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy