SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સાથે આશયને સરખાવે છે અને તેથી ઘણીવાર દુનિયામાં ખળભળાટ અને કેલાહલ ઉત્પન્ન થાય છે. શબ્દોની મારામારી તરફ દુર્લક્ષ રાખી આશયથી આશય મેળવવામાં આવે તે જગતમાં અનેક વિચારોની એકતા થઈ શકે છે. મહર્ષિઓએ પણ એક નિયમ એ સ્વીકારેલ છે કે અમુક આત્મિક વિષય બીજાને સમજાવવું હોય તે તેને માટે જગતને પ્રચલિત ઉપનાથી હદયસ્થ ગંભીર વિચારોને સમજાવે છે. અમુક લખાણે તે એક હૃદયમાં ઉપજતા વિચારે છે એમ વાચકોએ સમજવાનું છે. લખનાર કાંઈ પણ લખે તેથી એ તેનો સિદ્ધાંત છે કિંવા સ્વીકાર છે અથવા તે એજ માન્ય છે એમ માનવામાં કેટલીકવાર મોટી ભૂલ થાય છે. વિચારક અને લેખકે કેટલાએક વિષયમાં-વિવેચનમાં તટસ્થ–દષ્ટા તરીકે રહીને પણ કાર્ય કરે છે. જેઓ પોતાની સંકુચિત પરિસીમામાંજ આનંદ માને છે, તેવાઓને માટે આ કથન નથી એટલા ઉપોદઘાત પછી લેખક જૂદા જૂદા રૂપે ઓળખાયલા વિષયને એક રૂપમાં મૂકે છે. મુક્તિની સર્વને અભિલાષા છે એ વાતનું સમર્થન. છંદ હરિગીત. મુખથી સહુ હરવાર, માનવ બંધુઓ બાલી કહે, ઈચ્છા અને મોક્ષની, ભેદુ બતાવે માગ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy