SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિરવીષ પ્રીતડી,કિણભાતે હો કહે બને બનાવ-ઋષભ, | ભાવાર્થ–સંસારી જીવ મધ્ય પ્રીતિની પરિણતિ અનાદિ છે, તે પુદગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મનેજ સંગ ઉપર ઇષ્ટતા છે તે એ પ્રીતિ અપ્રશસ્ત છે, નવા કર્મના બંધનું કારણ છે, તેથી એ અનાદિની પ્રીતિ વિષ ભરી છે. જેમ ઐશ્વર્યાદિ દેખીને પુદ્ગલ અશુદ્ધતા ઉપર જે ઈષ્ટતાને સ્વજન કુટુંબ પરિગ્રહ ઉપર રાગ છે, તે રીતે પ્રભુજી તમારા ઉપર રાગ કરવાને માટે ભાવ છે, પણ તે રાગ કામને નથી, મમકાર-કુલાચારે જે અરિહંત ઉપર રાગ, તે મોક્ષ માર્ગમાં નહિ. શા માટે? જગતમાં મમકારે કોણ રાગ કરતે નથી? એ સંસાર હેતુ છે, કેમકે અપ્રશસ્ત છે, માટે અરિહંત ઉપર જે રાગ કરે, તે નિર્વિષ કરે. એટલે પ્રશસ્ત કરે. જેમાં વિષયાભિલાષ નથી. વર્ણાદિકની રીઝ નથી, તથા ઈહલેક પરલોક ઈદ્રિય સુખાભિલા નથી. પ્રભુના જ્ઞાનાદિ ગુણ છે, તે મને આપે, એવી અભિલાષા નથી. એક અરૂપી, અજ, અવિનાશી અકૃત્રીમ, શુદ્ધ જ્ઞાનાદિ સકળ ગુણ વ્યકત થયા છે જેના, સ્વરૂપભેગી, સ્વરૂપરમણી, સ્વરૂપશ્રિત, એવા ગુણોને રાગ, અથોત એકલે ગુણ પ્રગટ કરવા વાસ્તે જે રાગ કરવો, તે નિર્વિષયી જાણો. તે નિર્વિષયી પ્રીતિ કરવાની મારામાં તે શકિત નથી, તે માટે હવે એ બનાવ કેમ બનશે. તે ઉપકારી પુરૂષો ! તે તમે કહે. પ્રીત અનતિ પરથકી જે તોડે છે, તે જે એક પરમપુરૂષથી રાગતા, એકત્વતા હે, દાખી ગુણ ગેહ–રષભ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy