SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પ્રકાશની હડફેટમાં પરિણામી અને બીજું કશુષભાવી. આ બને હડફેટમાં આવે છે. પણ એક પિતાની શકલવૃત્તિના ગે વિકાસગામી બને છે, જ્યારે બીજું પિતાના માનસિક કાલુષ્યના ગે પિતાને અધઃપાત સર્જે છે. આ આખી કથામાં આ જ પ્રકારનું ચિત્રણ ઠેઠ લગી દેખાતું આવે છે. મરુભૂતિ( હાથી )ને સ્વર્ગભેગી આત્મા દેવગતિનું જીવન પૂર્ણ કરીને “મહાવિદેહ” નામા માનવક્ષેત્રમાં “વિશુદુગતિ નામા વિદ્યાધરનો “કિરણગ” નામા પુત્ર થાય છે. કિરણ વેગ રાજ્યપદ ભેગવી પિતાના પુત્ર “કિરણતેજ અને રાજયાસન પર સ્થાપન કરી આત્મકલ્યાણની સાધનાના અભિલાષે ચારિત્રને સ્વીકાર કરે છે. મહાન સંન્યાસી કિરણગ વિહરતે વિહરતે હેમરોલ'ના પ્રદેશમાં આવે છે અને ત્યાં ધ્યાનમાં સ્તભવતું સ્થિર થાય છે. પાંચમી નરકભૂમિને કમઠ-જીવ ત્યાંથી નીકળી એ( હેમશૈલના ) પ્રદેશમાં સર્પ થાય છે. એ સર્પ જન્માન્તરીયરાનુબધે આ ધ્યાનસ્થ ગીને જોઈ કુદ્ધ થાય છે, પિતાની ફણાથી એ મહર્ષિના શરીરને વટાવી લે છે અને એના અનેક ભાગોમાં કરડે છે. ભયંકર ભુજંગનું ભયાનક વિષ મુનિના સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. પ્રિયમાણુ મુનિ સર્પ પર રુષ્ટ ન થતાં જાણે એના વિષે તુષ્ટ થતા હોય તેમ ચિતવે છેઃ “આ સર્પ મારા સમભાવની કસેટી બચે છે. મારા આત્મલાભના સંવર્ધનમાં આણે ભારે મદદ કરી છે. એના પ્રતિકૂલ સહગને લીધે મારી સમતા વધુ સતેજ, વધુ પુષ્ટ બનવા પામી છે, અને એને લીધે મારાં અન૫કાલસાધ્ય કર્મક્ષપણ અને કલ્યાણલાભ આટલા અલ્પકાલમાં સધાય છે. મારો આ સધાતે શ્રેષ્ઠ લાભ એને આભારી છે. એ મારો અપકારી નથી, પણ સુહુ ઉપકારી છે.' આવી ઉજજવલ ભાવના સાથે કષ્ટ સહન કરતાં કાલધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035206
Book TitlePrakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherChunilal Ghelachand Kapadia
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy