________________
૫૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
( અનુટુપ ) દશે ભાગવતાખ્યાન-મિષે મુનિ જણાવશે; પરિક્ષિત-પ્રશ્ન-સન્દ–અંગ–ભંગ જણાવશે.
-કલ્પ ૨, અધ્યાય ૧૦ આ પછીના કાળનું સૌથી મહત્ત્વનું વૃત્તબદ્ધ કાવ્ય તે જૈન કવિ કેશરવિમલકૃત “સૂક્તમાલા.૪૦ ૧૭૦ કડીનું. એ કાવ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર વર્ગમાં વહેચાયેલું છે, અને પ્રત્યેક વર્ગમાં તે વર્ગને અનુરૂ૫ એવા જુદા જુદા વિષયો ઉપર વિવિધ વૃત્તોમાં કવિએ સ્વરચિત સૂક્તો આપ્યાં છે. અર્થાત આ રીતે “સૂક્તમાલા' એ તેનું સાર્થક નામ છે. થોડાક દસકાઓ પૂર્વે જૈન સાધુસમાજમાં એમાંનાં સૂકતોને સારે પ્રચાર હત; અને વ્યાખ્યાન કરતાં યોગ્ય પ્રસ્તાવ અનુરૂપ વિષયનાં મુખપાઠ કરેલાં સૂકતને ઉચિત ઉપયોગ કરવામાં આવતું. “સૂક્તમાલાના ચારે વર્ગમાંથી થોડાંક ઉદાહરણ જોઈએ: સજજન વિષયે–
(માલિની ) સદય મન સદા, દુઃખિયાં જે સહાઈ, પરહિત મતિદાઈ, જાસ વાણુ મીઠાઈ, ગુણુ કરિ ગહરાઈ, મેધ ન્યૂ ધીરાઈ, સજન મન સદાઈ, તેહ આનંદદાઈ.
ધર્મવર્ગ, કડી ૧૩ સાધુધર્મ વિષયે–
( શાર્દૂલવિક્રીડિત) જે પંચવમેભાર નિવહે, નિઃસંગ રંગે રહે,
પંચાચાર ધરે, પ્રમાદ ન કરે, જે દુઃખ તો બહુ સહે, ૪૦. પ્રસિદ્ધ, મારા વડે સંપાદિત, સાહિત્ય, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com