SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પામે છે. આજ ન્યાયથી આપણે આત્મોન્નતિ કરવી હોય તે તેને ઉપયોગી સાધને અને તે સાધને જે અર્થે મેળવ્યા છે તે જ અર્થમાં ઉપગ થવો જોઈએ. આપણું પૂર્વના પુરુષાર્થથી એ બધાં સાધન તે મલ્યાં છે, પણ આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી અને માર્ગને બહુજ કઠિન અને વિષમ કરી નાખે છે. જ્યારે આપણે વાસ્તવિકતા પર જોઈએ છીએ ત્યારે તેની લેશમાત્ર કઠિનતા દેખાતી નથી. છતાં આપણું અજ્ઞાન દશાથી તે માર્ગને આપણે અતિકઠિન બનાવી મૂક્યો છે. આપણે વ્યવહાર જ્યાં ત્યાં અસત્ય આચરણથીજ ભર્યો હોય છે. તેવી સ્થિતિમાં આત્મા ઉન્નત કેવી રીતે બની શકે? વર્તમાન સ્થિતિ આત્મતિમાટે યોજાયેલી કિયાઓ આજે તદન બેયશન્ય શુષ્ક બની ગઈ છે, પ્રભુને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજન સામગ્રીએ વડે તેનું અર્ચન કરીએ, પકવાને ધરીએ, પણ તેનાજ ભુખે મરી જતાં બાળક તરફ દુર્લક્ષ કરીયે, તેના પર છડેચોક અન્યાયઅધર્મ આચરીએ, તેને લુંટવામાં લેશ પણ પાછા ન હઠીએ-એ કેણ નથી જાણતું? તેમ સામાયિક, પિષધ, પ્રતિક્રમણ જેવી ઉત્તમ યિાઓ પ્રતિદિન કરનારા બંધુઓ પણ આંતરિક અને બાહ્ય બને પ્રકારની બીમારીમાં હંમેશાં ઘેરાયેલાજ હોય છે. સંખ્યાબંધ પુસ્તક વાંચનારા, હમેશ ઉપદેશ સાંભળનારા, ભજન કીર્તનો કરનારા અને તીર્થયાત્રાઓમાં ધૂમનારા અનેકની સંખ્યામાં જોઈએ છીએ; પણ એયપૂર્વક સાવિચારણાને અભાવે ખરું સુખ-ખરી શાંતિ થવા પામતી નથી તેને અનુભવ કેને નથી? કુશળવૈદ કે ડોકટરના ઔષધ હમેશાં લેવા છતાં રાગ ન હઠે, ન મટે તે દર્દના નિદાનમાં કે દવા લેવામાં જરૂર ફેર હે જોઈએ. દર્દનું સાચું નિદાન ન થાય ત્યાં સુધી કીમતી ઔષધી પણ નકામી થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy