SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત અવશ્ય વાંચવું જોઈએ. બીજાં કેટલાંક સૂત્રે અમેરીકામાં રહેતા વિદ્વાને છપાવ્યાં છે. આપણે એક પવિત્ર ગ્રંથ ઉત્તરાધ્યયન પેરીસમાં પ્રસિદ્ધ થયે છે. ડે. શુધ્યાન “ ડી જેન” નામનો ગ્રંથ એટલે બધે વિશ્વવ્યાપી છે કે તેમાં વિશાળ દષ્ટિથી જૈન ધર્મનું વિહંગાવલોકન કર્યું છે. વિદ્વાનને એક લીટી લખતા પહેલાં અનેક આધાર મૂક્વા પડે છે, અને આ પુસ્તકમાં પણ આવા વિધાન કરી તેનું સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. જેને જેનધર્મ ઉપર નગદ સાચી ખબર મેળવવી હોય તેણે આ ગ્રંથ અવશ્ય જેવો પડે. . બુલહર સિવાયના બીજા વિદ્વાને હજુ હયાત છે. ડો. જેકેબી જ્યારે આપણું જેડે જૈન સાહિત્યની વાતો કરતા હોય ત્યારે તે એટલા બધા તલ્લીન થઈ જાય કે ખાવાનું, ચા પીવાનું વિ. પણ ભૂલી જાય એવા એ સાહિત્યરસિક છે. આ ઉપરથી આપને સમજાશે કે જૈન સાહિત્યમાં એવા ઉપયોગી ત છે જેને આપણે આપણા કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. હવે જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે યુરોપમાં કયાં નો છે તે જણાવું છું. પહેલું તે ઇગ્લાંડમાં લંડન શહેરમાં બીટીશ મ્યુઝિયમ આવેલું છે. આ દુનિયાભરમાં સારામાં સારું મ્યુઝિયમ ગણાય છે. હિંદુસ્તાનમાં જે ગ્રંથ છપાય તેની ત્રણ નકલો છાપખાનાવાળા લઈ લે છે. તેમાંની બે વિલાયત મોકલાય છે. એમાંથી એક ઈડીયા ઓફીસમાં રહે છે અને બીજી બ્રીટીશ મ્યુઝિયમમાં મોકલાય છે. નાનામાં નાની આંકની ચૂંપડી પણ ત્યાં મોકલાય છે. ચાપડી અહીં બહાર પડી કે પંદર વીસ દીવસના ગાળામાં એ આપણને ત્યાં વાંચવા મળે છે. ત્યાં પુસ્તકને જબર ભંડાર છે. અને પુસ્તકાના માત્ર લીસ્ટનીજ એક લાયબ્રેરી છે. દરેક હેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ હોય છે. તમારે કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy