SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કળિયે થઈ જાવ ખાઈને ઉત્પન્ન થાય છે, અને તરત જ ઢોરને ખેરાક બને છે. ઢાર તે ઘાસ ખાઈને દૂધ આપી પિતે વિકસે છે. આ રીતે ખોરાક ખાઈને પ્રેરક બનવાની ક્રિયા એ જ આત્માને વિકસાવવાની કિયા. માણસ ખેરાક ખાય છે તે સમાજને ખોરાક થવા માટે, એટલે કે બધા માટે હોમાઈ જવા સારુ અને જ્યારે તે ખેરાક થાય છે, અથવા પિતે હૈમાઈ જઈને વિકસે છે. ત્યારે જ તેને “સન મુનકતુને અર્થ સમજાઈ જાય છે. ફળફળાદિમાં જીવ છે. માણસ તેને ખાય છે. પણ ખાતાં પહેલાં પિતે કેને રાક બનશે તે તેણે વિચારી લેવું જોઈએ. મહાભારતમાં શાંતિપર્વમાં એક પારધી અને હેલાની વાત આવે છે. હલાએ પિતાના શરીરનો પરિગ્રહ પણ બીજાને કેળિયે થવા કર્યો હતો. અને પિતે પારધીને કેળિયે બન્યું પણ હતું. તે જોઈને પારધીનાં પડળ ખૂલી ગયાં અને પોતે પણ અગ્નિમાં કૂદી પડે છે. આપણે પણ હિલાની જેમ બીજાને કેળિયે થવાની તૈયારી રાખવી જોઈએ; અર્થાત્ સમાજને ઉપયોગી થવાની એને માટે ઘસાવાની વૃત્તિ જ્ઞાનપૂર્વક ખીલવવી જોઈએ. ગાંધીજી પણ લોકોને કેળિયે બન્યા, ત્યારે જ આટલા વિકસ્યા. જે કેળિયે ન બન્યા હતા તે તેઓ પણ આપણી જ હરોળમાં હેત. - પરચક્રને લીધે અને તે દ્વારા આપણી સંસ્કૃતિ પર થયેલા ભૌતિક સુખવાદના આક્રમણને લીધે આપણે આસુરી વૃત્તિને જ વેગ મળે છે. જેમકે, બે માણસે પ્રસાદ વહેંચવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy