SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિ છે એ તે પહેલાં બતાવ્યું છે, એ દશ આગમના ઉલ્લેખ ક્રમ કાલક્રમને સૂચક હેય તે એમ માનવું પડે કે “આવશ્યકત્ર’ શ્રી શāભવસૂરિની પહેલાંના કોઈ સ્થવિરની, કે શ્રી શય્યભવસૂરિના સમકાલીન, પરતુ તેમનાથી કોઈ વિશિષ્ટ સ્થવિરની કૃતિ હેવી જોઈએ. શ્રી તત્વાર્થભાષ્યગત “જીવનન્તમિઃ ” એ અંશમાં વર્તમાન આદિ પદથી તીર્થકર, ગણધર પછીના અવ્યવહિત સ્થવિરની માફક; તીર્થકર, ગણધરના સમકાલીન સ્થવિર પણ જે ગણવામાં આવે તે આવશ્યકસૂત્રના રચનાકાળ વહેલામાં વહેલે ઈ. સ. પૂર્વના છઠ્ઠા સૈકાની છેલ્લી પચ્ચીસી માની શકાય અને આમ તેના કપ્ત રૂપે તીકર, ગણધરના સમકાલીન કેઈ સ્થવિર માની શકાય. ગમે તેમ હોય તે પણ એટલું તો નિશ્ચિતરૂપે જાણી શકાય છે કે તીર્થકરના સમકાલીન સ્થવિરથી માંડીને શ્રી ભદ્રબાહુસ્વામિને પહેલાંના કે સમકાલીન સ્થવિરોમાંના કેઈકની “આવશ્યકસૂત્ર’ એ કૃતિ છે. મૂલ આવશ્યકસૂત્રની પરીક્ષણ વિધિઃ મૂલ (અસલ) આવશ્યક કેટલું છે અને તેમાં ક્યાં કયાં સૂત્રો ઉમેરાયેલાં છે, તેની પરીક્ષા કરવી જરૂરની છે; કારણ કે આજકાલ સાધારણ લકે એમ સમજે છે કે “આવશ્યકક્રિયામાં જેટલા . સૂત્ર બોલાય છે તે સર્વ મૂલ “આવશ્યક 'નાજ છે. મૂલ આવશ્યક ઓળખવાની બે રીતે છેઃ (૧) જે સૂત્રના દરેક શબ્દની કે કેટલાએક શબ્દોની સૂત્રસ્પશી નિર્યુક્તિ હોય તે સૂત્ર “મૂલ આવશ્યક’ માંનું છે; (૨) જે સૂત્રની ઉપર શબ્દશઃ કે અધિકાંશ શબ્દોની સત્રસ્પશી નિર્યુક્તિ નથી, પરંતુ જે સૂત્રના અર્થ સામાન્ય રૂપે નિયુંક્તિમાં વર્ણવાયા છે અથવા જે સૂત્રના કોઈ કઈ શબ્દ પર નિયું.. ક્તિ છે અથવા જે જે સૂત્રની વ્યાખ્યા કરતી વખતે પ્રારંભમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy