________________
પર્વ પ્રસંગે ધર્મસ્થાનમાં આવશ્યક ક્રિયા કરવાને માટે એકત્રિત થાય છે, અને તે ક્રિયા કરી પિતાને અહેભાગ્ય માને છે. આમ આ સંપ્રદાયમાં ઉપર્યુકત ક્રિયાનું મહત્વ અધિકાર છે. તેથી જ આ સંપ્રદાયના અનુયાયિઓ પિતાના સંતાનને ધાર્મિક શિક્ષણ આપતી વખતે સૌથી પહેલાં આવશ્યક કિયાજ શિખવવાનો પ્રબંધ કરે છે.
- જન સમુદાયમાં આ રીતે આવશ્યક’ માટે સાદર પ્રવૃતિ છે, તે જોતાં સ્પષ્ટ થાય છે કે તેના મહત્ત્વનું કઈ પણ કારણ હેવું જોઈએ. આવશ્યક ક્રિયાની પ્રાચીનતા
આ કારણોના વિચારમાં પ્રવેશ કરતાં પહેલાં એક વસ્તુ તપાસવી જરૂરની છે. “આવશ્યકક્રિયા’ની વિધિ ચૂર્ણિના જમાના કરતાં પણ પ્રાચીન છે, કેમકે તેને ઉલેખ શ્રી હરિભસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યું પિતાની “આવશ્યક વૃત્તિ’ પુષ્ટ ૭૯૦માં કરેલ છે. તે જ વિધિફેરફાર વિના જેમની તેમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયમાં તેમ નથી; આ વસ્તુ તેતે સંપ્રદાયોની સામાચારી જેવાથી સ્પષ્ટ થાય છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જે પ્રકારે “ આવશ્યકક્રિયા ” ના “ પુરવાર-બાહો, સિરાઈ खुद्धाणं, अरिहंत चेड्याण, आयरिय उवज्झाए, अब्भूटिठयो
, આદિ માં જેમ કાપકુપ કરવામાં આવી છે તેમ તે ક્રિયાની પ્રાચીન વિધિમાં પણ કાપકુપ કરવામાં આવી છે. મૂર્તિપૂજક - તાંબર સંપ્રદાયની સામાચારીમાં “આવશ્યકક્રિયાના સૂત્રો તેમજ વિધિને જે ઉલ્લેખ શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે તેમાં કાંઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી; અર્થાત “સામાયિક આવશ્યક એટલે પ્રતિકમણની સ્થાપનાથી માંડીને પ્રત્યાખ્યાન વા પચ્ચખાણુ સુધી થે આવશ્યકના સૂત્રો અને વિધિને કમ તેને તેજ છે. જોકે પ્રતિકમણની સ્થાપના પહેલાં ચૈત્યવંદન કરવાની અને છઠ્ઠા આવશ્યક
( ૧૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com