SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તે આબાલવૃદ્ધપ્રસિદ્ધ પણ છે. વધારામાં એ પણ ઉમેરવાની જરૂર છે કે દીગ ંબર સ’પ્રાયમાં દૈવસિષ્ઠ, રાત્રિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રકારના આવશ્યકવિધાનની પ્રસિદ્ધિ શ્વેતાંબર જેવી નથી. સાર માત્ર એટલેાજ છે કે શ્વેતાંબર સંપ્રદાય જેમ સાય’કાળ, પ્રાતઃ કાળે, પખવાડિયાને અતે, ચાતુર્માસને અંતે અને વર્ષાંતે અંતે અલગઅલગ કે સમુદાયમાં પુરૂષ તેમજ સ્ત્રી એકત્ર થઇ જે ક્રમાનુસાર યે આવશ્યક કરે છે તે પ્રકારે કરવાની પદ્ધતિ તેમજ રૂઢિ દીગંબર સપ્રદાયમાં નથી. શ્વેતાંબર સંપ્રદાયની પણ બે મુખ્ય શાખાઓ છે (૧) મૂર્તિ પૂજક અને (ર) સ્થાનકવાસી. આ બન્ને સંપ્રદાયની શ્રાવક તેમજ સાધુ સંસ્થાએમાં પાંચે પ્રકારે યે આવશ્યકના નિયમિત પ્રચાર અધિકાર પ્રમાણે યથાસ્થિત ચાલુજ છે. આવશ્યક અને સાધુ સમાજઃ ઉપરાંત બન્ને શાખાઓમાં સાધુઓને તે સાંજ અને સવાર આવશ્યક અવશ્ય કરવાનું હોય છે, કારણ કે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તી કરના સાધુએ આવશ્યક નિયમપૂર્વક કરેજ, આ આજ્ઞા ન પાળવામાં ન આવે તો તે સાધુપદના અધિકારી નથી. વશ્યક અને શ્રાવસમુદાયઃ શ્રાવક કે ગૃહસ્થ વમાં આવશ્યક વિકલ્પે છે, અર્થાત્ જે ભાવિક અને નિયમવાળા હાય છે, તે તે અવશ્ય કરે છે અને બાકીના માટે તે આ પ્રવૃત્તિ અચ્છિક છે. આમ હૈાવા છતાં પણ આપણા તે અનુભવ છે કે જેઓ હંમેશાં આવશ્યક કરતા હાતા નથી તે પણ પખવાડીયાને અ ંતે, ચાતુર્માસને અ ંતે કે છેવટે વર્ષને અંતે તે આવશ્યક કરેછેજ. શ્વેતાંબર -સપ્રદાયમાં આવશ્યક ના એટલા બધા આદર છે. કે જે વ્યકિત ખીજે કાઈ પણુ પ્રસંગે ધર્મસ્થાનમાં ન જતી હોય તે પણ સાંવત્સરિક (40) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy