SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના ગુહિલે ઃ ૭૩ શિલાલેખ મળી આવ્યો છે. તે શિલાલેખ ગુહદત્તથી ૨૨મી પેઢીએ અને બ૫થી ૧પમી પેઢીએ થઈ ગયેલ ગુહિલરાજ બાલાદિત્યને છે. ૬૯ (“રાજપૂતાનેકા ઈતિહાસ” પૃ. ૪૨૧-૪૩૨). તે શિલાલેખમાંથી નીચે પ્રમાણે એક કલાક પ્રાપ્ત થાય છે. अस्त्रग्रामोपदेशैरवनतनृपतीन् भूतलं भूरिभूत्या । भदेवान् भूमिदानैस्त्रिदिवमपि मखैनन्द्रयन्नन्दितात्मा ॥ ब्रह्मक्षवान्वितोऽस्मिन्सनभवदसमे रामतुल्योविशल्यः । शौढियो भर्तृपठो रिपुमटविटपच्छेदकेलीफ्टीयान् ॥ પૃ. ૩૮૩ અનેક શસ્ત્રાસ્ત્રના પ્રયોગને અભ્યાસ કરીને જેણે શત્રુદલને તેમ જ પુષ્કળ સમૃદ્ધિથી ભૂલને નમાવ્યું હતું, ભૂમિદાનેથી બ્રાહ્મણોને અને યજ્ઞાનુકાનેથી દેવોને તૃપ્ત કરી જેણે પિતાના આત્માને પ્રસન્ન કર્યો હતો, બ્રહ્મક્ષત્રમાં ઉત્પન્ન થયેલો, પરશુરામની પેઠે સમર્થ શત્રુઓનાં વૃક્ષગુંડેને લીલામાત્રથી છેદી નાંખવામાં કુશલ થયેલે, એવો આ અપ્રતિમ વંશમાં નિષ્કટક થયેલો શૂરવીર ભતૃપટ થયો. આ શ્લોકમાં બાલાદિત્યથી પૂર્વે ૧૫મી પેઢીએ થઈ ગયેલ મેવાડના ગુહિલવંશી રાજા ભર્તુપટને વ્રલગ્નાન્વિત કહે છે. વિદ્વદર્ય ઓઝાશ્રીએ તેને “બ્રહ્મક્ષત્રિયુક્ત” એવો અર્થ કર્યો છે. અર્થાત્ ભતૃપટમાં બ્રાહ્મણના બીજને અંશ ન હતું, પરંતુ બ્રાહ્મણના ગુણ જ હતા, તેથી તેને બ્રહ્મક્ષત્ર કહે છે, એમ તેઓના કહેવાને આશય છે. તેના સમર્થનમાં તેઓ બે ઐતિહાસિક અને ચાર પૌરાણિક દૃષ્ટાંતો આપે છે. તે પૈકી એતિહાસિક દષ્ટાંતે નીચે મુજબ છેઃ ૧. માલવાના પરમાર રાજા મુંજ (ઇ. સ અહ૭-૯૯૭) ના રાજકવિ 4. Epigraphia Indica, Vol. XII pp. 13-17. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy