SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના ગુહિલેા : ૬૭ હાય નહિ, તેવા અદ્યાપિ પર્યન્ત પૃથ્વી ઉપર શાભે છે. આખા બ્લેક સરલ અને સ્પષ્ટ છતાં, તેમ જ અન્ને શિલાલેખા સાથે સાથે વાંચતાં તેમાંથી એક જ અથ પ્રાપ્ત થઇ શકે છે તે છતાં ખપ બ્રાહ્મણ ન હતા, પરંતુ તેના પૂર્વજોએ બ્રાહ્મણધમ માત્ર ધારણ કર્યાં હતા, એવા અર્થ વિદ્વન્દ્વ એઝાશ્રી શી રીતે કરે છે, તે સમજી શકાતું નથી. ઇતર સર્વ પ્રસ ંગેામાં દતકથાનુ મિથ્યાત્વ પ્રતિપાદન કરવા છતાં એક પ્રસંગે જ તેનુ શરણ લેવું ચેાગ્ય છે? મારીમચડીને ધારેલા અર્થ કરવાના આગ્રહ હાય, ત્યારે તેા કંઇ ઉપાય નહિ; પરંતુ આ સ્થલે તે મારતાં અને મચડતાં પણ તેવા અર્થ થઇ શકતો નથી. " એટલું જ નહિ પણ શ્લેાકના ઉત્તરાર્ધ પૂર્વાર્ધને વિરોધક નથી, પણ પુષ્ટિકારક છે. તેના શે। આશય છે ? તેમાં સ્પષ્ટ કહ્યું છે કે તેના ( ખપ્પના ) વંશના રાજાએ જાણે શરીરધારી ક્ષાત્રધર્માં હેાય નહિ, તેવા અદ્યાપિ પર્યંત શાભે છે. ' અર્થાત તે સાક્ષાત્ ક્ષત્રિયા નહિ, પણ ક્ષત્રિયા જેવા છે, તે જ ઉત્તરાધના આશય છે. રાણા સમરસિંહના સમયમાં તો એક જ માન્યતા હતી કે ખપના વંશજો વિપ્રમાંથી ક્ષત્રિયેા થયા; મૂલપુરુષાગત ક્ષત્રિયત્વ તેઓમાં નહાતું. ૩. રાણા મેલસિંહના ઋષ્યશૃગાશ્રમમાં આવેલ વાવના શિલાલેખ વિક્રય એઝાશ્રીએ આ વિભાગને ઉપયુક્ત ત્રણ પ્રમાણે આપ્યાં છે, તે પૈકી ત્રીજું પ્રમાણ રાણા મેાકલસિંહના શિલાલેખનુ` છે. મેકલસિંહ મહારાણા કુંભાના પિતા થતા હતા. તેના રાજ્યકાલ ઇ. સ. ૧૪ર૦થી ઇ. સ. ૧૪૩૩ સુધીને છે. તેઓ ગુરુદત્તથી ૪૬મી પેઢીએ અને ખ૫થી ૩૯મી પેઢીએ થઇ ગયા છે. તેઓએ ઋષ્યશૃંગના આશ્રમમાં પેાતાની વાઘેલી રાણી ગૌરામ્બિકાના પુણ્યાર્થે વિ. સ’. ૧૪૮૫ ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy