SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ઃ મેવાડના ગુહિલે કર્યો હતે. તે કારણથી પુષ્પ અને ચંડશમાં સરસ્વતી નદીને તીરે આવેલ એક નગરમાં રહેવા ગયા, ત્યાં ચંડશર્માએ નાગરેશ્વર મહાદેવની અને પુષ્પ નાગરાદિત્ય અને શાકંભરી દેવીની પ્રતિષ્ઠા કરી (અ. ૧૬૧-૧૬૪). આ બન્ને બ્રાહ્મણોએ આસપાસના પ્રદેશમાં એ ત્રણે દેવદેવીની ઉપાસના પ્રચલિત કરી હશે. ચુહાણોની કુલદેવી શાકંભરી હતી. તે જ મુજબ વિજયાદિત્ય અને તેના વંશજેને ઈષ્ટદેવ શંકર છતાં તેઓ સૂર્યના પણ ઉપાસક હય, તે તેમાં કંઈ અસ્વાભાવિક નથી. બમ્પ રાવળને ઈષ્ટદેવ તે શંકર જ હોવા છતાં, સ્વકુલના ઉપાસ્ય દેવ સૂર્યનું સ્મરણ સતત રાખવાને માટે શંકર અને સૂર્ય અને દેવાનાં ચિત્રે તેઓએ પોતાના સિકકા ઉપર પડાવ્યાં હાય, એ યુક્તતર લાગે છે. કદાચ તકરારની ખાતર બ૫ના સિક્કા ઉપરનું સૂર્યચિહ્ન સૂર્યવંશસૂચક છે એમ સ્વીકારીએ, તો પણ જેથી બમ્પ તેમ જ વિજયાદિત્ય સુધીના તેના પૂર્વજો વિપ્ર હતા, તે એતિહાસિક તને કંઈ બાધ આવતું નથી. હારીતરાશિ જેવા સમર્થ ધર્મગુરુની ઉત્તેજનાથી મૌર્યવંશના શૂદ્રરાજાને હરાવીને વિશાળ રાજયની સ્થાપના કરનાર તેમ જ ક્ષત્રિય રાજાઓની કન્યાઓ પરણી ક્ષત્રિય જાતિમાં ભળી જવાની ઉત્કટ ઇચ્છા રાખનાર અ૫ જે પરાક્રમી રાજા પિતાને સૂર્યવંશી ઠરાવવાને અને મનાવવાને પ્રચંડ ઉદ્યોગ કરે, તે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. હજ આજથી લગભગ અઢીસેં પિણાત્રણસેં વર્ષ પહેલાં થઈ ગયેલા શિવાજી મહારાજને દષ્ટાંત આપણી દષ્ટિસમીપ તાજે જ તરવર્યા કરે છે. મુસલમાનોના અત્યાચારથી હિંદુધર્મને વિધ્વંસ થતે જોઈને જેઓનું હૃદય સળગી રહ્યું હતું, તેવા રામદાસ સ્વામીના ઉપદેશથી, પ્રેરણાથી અને ઉત્તેજનાથી વિજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy