SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના ગુહિલેા ઃ ૨૯ લકુલીશ એટલે પાશુપત એટલે નાથસંપ્રદાયના સાધુ હતા, અને એકલિંગ મહાદેવના મંદિરના મહંત હતા. ( રાજપૂતાનેકા ઇતિહાસ, ’ પૃ. ૩૩૭) એકલિંગ મહાદેવના મંદિર પાસે લકુલીશમંદિર એટલે નાથમૉંદિર આવ્યું છે. તે મંદિરમાંથી રાણા નરવાહનના સમયના વિ. સ. ૧૦૨૮, ઇ. સ. ૯૭૧ના એક શિલાલેખ પ્રાપ્ત થયા છે. તે લેખમાં લકુલીશ અથવા નાથસ ંપ્રદાયના સાધુએ તે મ ંદિરના નિર્માતા હતા, એમ કહેવામાં આવ્યું છે. ( પૃ. ૪ર← ૪૩૦) નાથસ ંપ્રદાયના સાધુઓનાં ચિત્રાગારક્ષકિમિયાગર અને નવનાથભક્તિસાર નામના ગ્રંથો ઉપરથી નવનાથરિત્રના નામના એક બૃહદ્ થ સુરતના સુપ્રસિદ્ધ હરદાસપુવા દત્તભુવાએ એ ભાગામાં રચીને પ્રસિદ્ધ કર્યાં છે. તે ઉપરથી જણાય છે, કે તે સંપ્રદાયના સ્થાપક મત્સ્યેન્દ્રનાથ અને ગારક્ષનાથ હતા. માળવાના રાજા ભર્તૃહરિ તેના શિષ્ય થયા હતા. તે ગ્રંથમાં મત્સ્યેન્દ્રનાથ અને ગારક્ષનાથની ઉત્પત્તિની કથા પૈારાણિક ઢઅને અનુસરીને બહુ ચમત્કારભરેલી આપી છે. મત્સ્યેન્દ્રનાથની ઉત્પત્તિ તે ( ચેદી-બુ ંદેલખંડના રાજા ઉપરિચરવસુના વીય થી માથ્વીના ઉદરમાંથી થઇ હતી, એમ કહેવામાં આવ્યુ છે. ગારક્ષનાથ મત્સ્યેન્દ્રનાથના કૃપાપ્રસાદરૂપે વિભૂતિમાંથી ઉત્પન્ન થયા હતા, એમ પણ કહ્યુ છે. અર્થાત્ વસ્તુતઃ મૂલ પુરુષનું ખીજ ક્ષત્રિયનું હતું, એમ તે સ્પષ્ટ કહ્યું છે. તેથી જ સંપ્રદાયના અનુયાયીઓને સાધુઓ કહેવામાં અવે છે, તે સંપ્રદાયમાં ચારે વર્ણના મનુષ્યાને દાખલ કરવામાં આવતાં હતાં. આજે પણુ ગુજરાતકાઠિયાવાડમાં કેટલેક સ્થળે નાથસાધુઓ જોવામાં આવે છે. તેએ ગૃહસ્થાશ્રમ કરે છે, અને તેની ગણુના શકે! કરતાં ઉચ્ચ કેટિમાં કરવામાં આવતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy