SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઃ મેવાડના ગુહિલે સમીકરણો તો માન્ય રાખે છે. (પુ. ૨. પૃ. ૩૩૭). છતાં તેઓ પ્રશ્નન કરે છે કે બ૫ અથવા ગુહદત્ત વડનગરનો નાગર હોત તો વિ. સં. ૧૩૩૧ ઈ. સ. ૧ર૭૪ના શિલાલેખમાં નાગરજ્ઞાતિને રાજકવિ વેદશર્મા તેને નાગર લખ્યા વિના રહે હેત નહિ. તેણે તેને નાગર નહિ પણ વિપ્ર જ કહ્યા છે, તેથી બ૫ નાગર ન હતો એમ સિદ્ધ થાય છે. શા માટે વેદશમ નાગરે બપને નાગર કહ્યો નથી ? નાગર પદને જે લેખોમાં સાક્ષાત પ્રગ કરેલો જોવામાં આવે છે, તેમાં સૌથી પહેલું માળવાના પરમાર રાજા શ્રી હર્ષદેવ અથવા સીયકના સમયનું ગુજરાતાન્તર્ગત હરસેલ ગામમાંથી વિ. સં. ૧૦૦૫ ઈ. સ. ૯૪૮નું મળી આવેલું તામ્રપત્ર છે. ” તે પહેલાં વલભીપુરના રાજાઓનાં ઈ. સ. પર૭થી ઈ. સ. ૭૬૭ સુધીનાં લગભગ નવ દાનપત્રો પ્રાપ્ત થયાં છે; તેમાં દાનપ્રતિગ્રહિતાઓ આનંદપુરના બ્રાહ્મણ હતા, છતાં ત્યાં તેઓને નાગરે કહ્યા નથી. તે સઘળા બ્રાહ્મણે વડનગરના નાગર હતા, એમ પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે તેમ જ રાજકોટ મ્યુઝીએમના કયુરેટર આચાર્ય વલ્લભજી હદિદત્ત સિદ્ધ કર્યું છે. આનંદપુરનું નામ ત્યાંના બ્રાહ્મણોએ પિતાની સગવડ માટે ઈ. સ.ના ચેથા સેકામાં નગર પાડયું હતું, અને તેઓએ બ્રાહ્મણોની બીજી જ્ઞાતિથી જદા પડી પોતાની જ્ઞાતિનું નામ નાગર રાખ્યું હતું.રર તેમ છતાં પણ ઈ. સ.ના ૧૧મા અથવા ૧૨મા સિકા સુધી તે નાગર નામ પણ પ્રચલિત થયું ન હતું. . સ. ૧૧૫રના ગુજરાતના રાજા કુમારપાળના વડનગરના શિલાલેખમાં આનંદપુરનું ૨૦. પુરાતત્ત્વ, પુ. ૨. અં. ૧. વિ. સં. ૧૯૭૯-૮૦. પૃ. ૪૪-૪૭. ૨૧. નાગર ત્રિમાસિક, પુ. ૪. અં. ૧. પૃ. ૧૯ તથા નાગરસ્પતિ. ૫.૯૬-૯૭. ૨૨. નાગરેલ્પત્તિ, પૃ. ૭૫-૭૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy