SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના ગુહિલે ઃ ૧૫ શ્વરના શિલાલેખના આઠમા લેકમાં લખ્યું છે કે તે સમયે હારીતરાશિ નાગહૃદમાં તપશ્ચર્યા કરતા હતા. - હવે જે આનંદપુર અને નાગહદ બંને એક જ નગર હોય, તે તે સઘળાનો એક જ અર્થ થઈ શકે કે – બમ્પરાવલ નાગહદમાંથી આવીને નાગહૃદમાં ગયો. તે અર્થ કદી રવીકારી શકાય તે નથી. અર્થાત્ નાગહુદને કોઈ પણ લેખમાં, દાનપત્રમાં કે પુસ્તકમાં આનંદપુર કહેવામાં આવેલ નથી. તેમજ ચિતોડના લેખમાં બંનેનું જૂદું જૂદુ વર્ણન કર્યું છે, તે સાથે આનંદપુરમાંથી આવીને બમ્પરાવલ નાગહૃદમાં હારીતરાશિ પાસે ગયે; એમ પણ કહેવામાં આવ્યું છે, તે કારણથી આનંદપુર અને નાગફુદ જુદાં જુદાં નગરો હતાં, એમ સિદ્ધ થાય છે. (૫) મહીદેવ એટલે શું? ૨. વિદ્વદ્વર્ય ઓઝાશ્રીની પેઠે તેઓએ પણ વિપ્રવુરાનને અર્થ ફેરવ્યો છે. તેનું વિવેચન ઉપર કરવામાં આવ્યું છે તેથી પુનરુકિત કરવાની આવશ્યકતા નથી. પરંતુ તેઓ મહીને અર્થ બ્રાહ્મણ ન કરતાં રાજા કરે છે. મહાદેવને યૌગિકાર્થ રાજા થઈ શકે ખરે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં તેને તે સામાન્ય પ્રયોગ થતે જોવામાં આવતું નથી. આતેના કેષમાં મહીસુર, ભૂ સુર અને ભૂ દેવ – એ ત્રણે શબ્દોને અર્થ બ્રાહ્મણ કર્યો છે. મહાદેવ એ ત્રણ શબ્દને પર્યાય છે, તેથી તેને રૂઢાર્થ તે બ્રાહ્મણ જ થવો જોઈએ. અમરકોષમાં નૃપતિના પર્યાયામાં ભૂપ અને મહીપતિ, શબ્દરત્નાવલિમાં ભૂપાલ, ભૂભુત અને મહીપતિ તથા જટાધરકેષમાં અવનીપતિ અને ભૂભુક શબ્દ આવ્યા છે. અર્થાત્ રાજાના અર્થમાં ભૂ, ભૂમિ, મહી ૧૬. જુઓ, શબ્દકલ્પદ્રુમ, રજ્ઞા શબ્દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com.
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy