SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચાણકયને અનાયાસે તક મલી ગઈ, એણે પ્રસન્નતા પૂર્વક કહ્યું. “જે તમારે નગરને આફતથી મુક્ત કરવું હોય તો આ દેવીઓની મૂર્તિઓને ઉત્થાપ? જ્યાં સુધી આ દેવીઓ બેઠેલી છે ત્યાં લગી આફત પણ તમારા ઉપર ટેલી છે એ નક્કી સમજજે?” . ચાણક્યનાં વચન સાંભળીને નગરજનોએ મૂત્તિઓ ઉત્થાપવા માંડી, તેમ તેમ ચાણક્યના સંકેતથી ચંદ્રગુપ્ત અને પર્વતક દૂર ચાલ્યા ગયા. જેથી નગરજને હર્ષ પામ્યા ને મૂર્તિઓ ઉખેડી ખાડે કરી નાખે. થોડીવાર પછી ચંદ્રગુપ્ત અને પર્વતે એ નગરી ઉપર હલે કરીને જીતી લીધી. એ નગરીને ભંગ કરી શેષ રહેલો બાકીનો દેશ જીતીને મોટા લશ્કર સાથે એ બન્ને રાજાઓએ ચાણાયને આગળ કરીને પાટલીપુત્ર નગરને ઘેરી લીધું. અભિમાનમાં અંધ થયેલો નંદરાજા લશ્કર સહિત લડવાને આવ્યા, પણ એના પુણ્યનો ક્ષય થવાથી યુદ્ધમાં હારીને એનું લશ્કર નાશી ગયું ને રાજા નિર્બળ થયો છેલ્લી ઘડીએનંદ પકડાય ત્યારે એણે ચાણકયની દયા માગી એની પાસેથી જીવિતદાન માગ્યું. ત્યારે ચાણક્ય કહ્યું.”હે નંદ! તું તો મને ગરદન પકડીને સભામાંથી બહાર કાઢો હતો પણ હું તો તને જીવિતદાન આપું છું તેથી ખુશીથા? અને એક રથમાં તારી મરજી પડે તેટલું દ્રવ્ય લઈને બહાર નીકળ, તને કેઈ ઉપદ્રવ કરશે નહી.” ચાણાક્યનાં એવાં મર્મભેદી વચન સાંભળીને વિજળીના જેવી ચંચળ રાજ્યલક્ષ્મીને ધિક્કારતો પિતાની બે સ્ત્રીઓ, એક પુત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy