________________
૩ર
અને શિલ્પી, વણિકા, વૈશ્યા, સર્વકર્માપજીવી, હસ્તિનાપુરની આખી પ્રજા પેાતાના રાજાની સાથે રાજકુલના સ્મશાન શા કુરુક્ષેત્ર ભણી જવા રવાના થાય છે.
'
પહેલાં જે સ્ત્રીઓનાં માં જોવાં દેવાનેય દુર્લભ હતાં, તે સ્ત્રીઓ, તેમના પતિએ માર્યા જતાં સામાન્ય માણસાની નજરે માટે પણ સુલભ બની છે. તેમના વાળ છૂટા છે. તેમણે આભૂષણેા બધાં ઉતારી નાખ્યાં છે, અને ફક્ત એક જ વસ્ત્ર પહેરેલ બધી તે ( માર્ગમાં) પછડાટા ખાતી જાય છે.”
છેલ્લી પંક્તિ વાચકને દ્યૂતસમયે દુર્યોધનની સભામાં દુઃશાસન વડે ખેંચી અણુાયેલ દ્રોપદીનું સ્મરણ કરાવે છે.
एकवस्त्रधरा नार्यः परिपेतुरनाथवत् ।
ઇતિહાસ કેવું વેર લે છે! કાળ માડાવહેલા પેાતાનું લેણું ચૂકતે કર્યા વગર રહેતા નથી, એ વાત તરફ જાણે વ્યાસજી હળવેક રહીને આપણું લક્ષ દેારવા ન માગતા હેાય! પણ ઇતિહાસ પાસેથી કશું સારું શીખી લે, તે પછી એ માણસ શાને ?
૨૪૭. અપરાધી ત્રિપુટી : છેલ્લુ દન
હસ્તિનાપુર છેડયા પછી આ ડાઘુએ એક ગાઉ ચાલા હશે ત્યાં તેમને કૃપ, કૃતવર્મા અને અશ્વત્થામા મળ્યા. હસ્તિનાપુરથી આવતા વૃન્દના વિલાપને થાડીકવાર દાદ આપી, પછી તેમણે ધૃતરાષ્ટ્રને છેલ્લામાં છેલ્લા સમાચારથી વાક્ કર્યા. (ધૃતરાષ્ટ્રને એ સમાચાર આ પહેલાં સંજય દ્વારા મળી જ ગયા છે.) આ પછી ગાંધારી સામે જોઈને કૃપાચાયે તેને • આશ્વાસન આપવા માંડયું : તમારા પુત્રો નિર્ભયપણે યુદ્ધભ્રમ પર સામી છાતીએ વીરકાર્ય કરતાં મૃત્યુ પામ્યા છે. સામી બાજુએ શત્રુએના વિજય-આન ંદને અમે ખાટા કરી નાખ્યા છે. ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંચાલે, તેમ જ દ્રૌપદીના બધા જ પુત્રોને અમે આ અશ્વત્થામાની આગેવાની નીચે રાતના અંધકારમાં જ હણી નાખ્યા છે.
""
પણ હવે અમે ત્રણ અમારા પ્રાણ બચાવવા માટે ભાગી છૂટવા માગીએ છીએ; કારણ કે પાંડવા અબઘડી આવી પહેાંચશે અને અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com