________________
૨૧.
પણ આખરે તે મણિ આપ્યા વગર અશ્વત્થામાને છૂટકે જ નથી, જે પ્રાણ બચાવવા હોય તે, એવી તેની ખાતરી થાય છે અને મણિ તે, આપી દે છે. પણ તે grace વગર ! પાંડવોના નાશની પિતાની પ્રતિજ્ઞાને તે મનસ્વીપણે ઉત્તરાના ઉદરમાં રહેલ અભિમન્યુબીજના નાશના સંકલ્પમાં રૂપાન્તરિત કરે છે. અને એટલું થતાં પાંડવનાશની પિતાની પ્રતિજ્ઞા સિદ્ધ થઈ એવું આત્મવંચક આશ્વાસન તે લે છે; અને તેણે છેડેલ બ્રહ્મશિરસૂન સંહારક પ્રભાવ એટલેથી જ સમાપ્ત થાય છે.
૨૪૪. શ્રીકૃષ્ણનો શાપ
પણ અશ્વત્થામાને પ્રતિજ્ઞાપાલનને આટલે છાશિયો સંતોષ પણ મળવાનો નથી.
વિરાટની પુત્રી ઉત્તરાને ઉપપ્લવ્યમાં કેાઈ વ્રતવાન બ્રાહ્મણે આશિષ આપી હતી, તે શ્રી કૃષ્ણને યાદ આવે છે. અશ્વત્થામાને તે કહે છે: “ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું જે બીજ છે, તેને પણ તારી આ અશુભ મનીષાથી કશું જ થવાનું નથી. “રિશીળg ૬ પુત્રસ્તવમવિષ્યતિ – કુરુઓ, પાંડવો. અને ધાર્તરાષ્ટ્ર પરિક્ષણ થતાં, તને એક પુત્ર થશે અને તેનાથી તેમને વંશવેલો જળવાઈ રહેશે.” એવી ઉત્તરાને એક વતી બ્રાહ્મણે આશિષ આપી હતી, તે કેમ મિથ્યા થાય ? (તારા જેવા અવતી બ્રાહ્મણની અશુભ પ્રવૃત્તિથી ? “પરીક્ષિત” નામને ખુલાસો પણ અહીં આવી જાય છે.)
અશ્વત્થામા ખૂબ ઉશ્કેરાઈ જાય છે. તેને તે મણિયે ગયો અને પ્રતિજ્ઞા ગઈ!
મારું વચન કદી મિથ્યા ન થાય,” કૃષ્ણને તે કહે છે, “વિરાટની પુત્રીનું તું ગમે તેટલું રક્ષણ કરવા માગીશ, મારું અસ્ત્ર તેના ગર્ભ સુધી પહોંચશે જ.”
ભલે પહોંચે તારું અસ્ત્ર ભલે ઉદરસ્થ એ શિશુ સુધી પહોંચે. પણ એ બાળક જીવશે જ અને દીર્ઘજીવી પણ થશે. તારા મામા કૃપાચાર્યને હાથે જ એ શસ્ત્રઅસ્ત્રવિદ્યા સંપાદન કરશે અને સાઠ વરસ આ પૃથ્વી પર રાજ્ય કરશે. . .
. . .. "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com