SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ બેભાન જેવા દુર્યોધનને ઢઢળી ઢઢળીને એના કાનમાં એ અમૃત રેડે છે: “બધાયને મારી નાખ્યા. હવે ફક્ત સાત જણ બાકી છે, તેમના પાંચ ભાઈઓ, છ શ્રીકૃષ્ણ અને સાતમા સાત્યકિ. આપણું પક્ષમાંથી અમે ત્રણ છીએ. દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, તમામે-તમામને, પાંચાલોને, મત્સ્યોને–બધાયને વધેરી નાંખ્યા !” અશ્વત્થામાની મનસ: પ્રિયાન્ આ વાત સાંભળાવંત દુર્યોધન એક છેલ્લીવાર ભાનમાં આવે છે. એના છેલ્લા શબ્દો આ છેઃ ભીષ્મ, દ્રોણે કે કણે પણ મારું આટલું હિત નથી કર્યું, અશ્વત્થામા ! જેટલું તે અને તારા આ બે સાથીઓએ કર્યું છે! તમારું કલ્યાણ થાય. હવે આપણે સ્વર્ગમાં મળીશું.” દુર્યોધનને પણ સ્વર્ગ મળવાની તે ખાતરી જ છે! આની પાછળ એની પ્રબળ આત્મપ્રતારણ છે કે બીજું કંઈ તે ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે. દુર્યોધનના મૃત્યુ બાદ અશ્વત્થામા અને તેના બન્ને સાથીઓ પોતપોતાના રથમાં બેસીને હસ્તિનાપુર તરફ દોડ્યા. અને, સમાચારોને ઉપસંહાર કરતાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, “વ્યાસજીએ આ યુદ્ધને સંપૂર્ણપણે જોવા – સમજવા માટે મને આપેલી દિવ્યદૃષ્ટિ” તારે એ પુત્ર મૃત્યુ પામતાં અદશ્ય થઈ.” ૨૪૨. “નલોડરજૂ થનાર અશ્વત્થામાએ દુર્યોધનને જ્યારે કહ્યું કે પાંડવપક્ષમાંથી ફક્ત સાત જ જણા બચવા પામ્યા છે, ત્યારે તેની એક સરતચૂક હતી. એણે ગણાવ્યા એ સાત ઉપરાંત ધૃષ્ટદ્યુમ્નને સારથિ પણ બચી જવા પામ્યો હતો. સૌપ્તિક પર્વના મહાસંહારથી છટકેલા આ સારથિએ પાંડવો પાસે પહોંચીને યુધિષ્ઠિરને જ્યારે આ કરુણ-ભીષણ સમાચાર આપ્યાં ત્યારે એ તે પુત્રશેખરૂપી વજના આઘાતથી બેભાન બનીને પૃથ્વી પર પછડાયે, પણ સાત્યકિએ તેને અધર ઝીલીને સાંત્વન આપવા માંડયું. ભીમ આદિ ચારેય ભાઈઓ પણ તેની અસનાવાસનામાં લાગી ગયા. થોડીક વારે તે ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy