________________
૧૪
પણ સંજયને જવાબ ધૃતરાષ્ટ્રની અશ્વત્થામાની શક્તિ વિષેની રહીસહી શંકાઓને પણ નિર્મુલ કરે એવો છેઃ “અશ્વત્થામાએ આવું કરવા ધાયું હત,” તે કહે છે, “તે પણ ન કરી શકત. આ તે કૃષ્ણ અને સાત્યકિ અને પાંચ પાંડવો છાવણીમાં ન હતા, એટલે જ તે ફાવી ગયે!”
૨૪૧. “સ્વર્ગમાં મળીશું !”
અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા દુર્યોધન પાસે પહોંચ્યા તે વખતે તેની સ્થિતિ કેવી હતી? તે હજુ જીવતો હતો, પણ કેવી હાલતમાં ? વ્યાસજીએ તેની તે હાલતને મનસથે કૃછુપ્રમ્ અવેતસ વમન્ત ધિર, શ્વાપર્વતમ્ મદનમ્ હરિક્ષિતવગેરે વિશેષણ વડે વર્ણવી છે. તે હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. બેભાન જેવી અવસ્થામાં હતું, તેને લેહીની ઊલટીઓ થયા કરતી હતી, તેનું શરીર આખું લોહીથી ખરડાયેલું હતું અને સૌથી વધુ દયાજનક તે એ કે તેની આસપાસ શિકારી પશુઓનું ટોળું એકત્ર થયું હતું, જેને તે મહામુશ્કેલીઓ દૂર રાખી રહ્યો હતો. આવી અસહાય દશામાં દુર્યોધનને ધરતી પર આળોટતો જોતાંવેંત એ ત્રણેય રોઈ પડ્યા. પોતાના હાથ વડે દુર્યોધનનું મેં લૂછતા લૂછતા તેઓ આંસુ સારી રહ્યા.
' શેણિતથી ખરડાયેલા (એટલે લાલ લાલ લાગતા) અને વારંવાર ઊંડા નિસાસા નાખતા એ ત્રણ વડે દુર્યોધન, ત્રણ અગ્નિઓ વડે વીંટાયેલી વેદી જેવો લાગતો હતો. પણ વેદીમાં હવે અગ્નિ નથી! રહ્યો સહ્યો જે એને અણસાર છે તે પણ હવે ગણતર પળામાં વિદાય થવાને છે!)
કૃપાચાર્યનું ધ્યાન, દુર્યોધનથી થોડે દૂર પડેલી એની સનેમઢી ગદા તરફ જાય છે. મૃત્યુ વખતે પણ એ એનો સાથ છેડતી નથી. માર્યા પ્રતિમતી રૂવ – પ્રેમાળ ભાર્યાની પેઠે; અને પૂર્વે બ્રાહ્મણે જેને ક્ષિણ કાજે વીંટળાઈ વળતા, તેને આજે પશુઓ વીંટળાઈ વળ્યાં છે – તેને થોડીક જ વારમાં મૃત બનનારા શરીરનું માંસ આરોગવા, એવી એવી કલ્પનાઓ કરતા એ વૃદ્ધ આચાર્ય વિલાપ કરે છે. - , ' ' . . .
પણ યુવાન અશ્વત્થામા અહીં કંઈ વિલાપ કરવા માટે નથી આવ્યો; એને તે શુભ સમાચાર આપવા છે. મૃત્યુશય્યા પર પડેલા પોતાના મહારાજને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com