SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ પ્રત્યેક શારીરિક પ્રક્રિયાની પાછળ કઈ ને કઈ માનસિક અથવા આધ્યાત્મિક કારણ શોધવાને તે જમાનો હતો અને અત્યારના વિકસિત વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે પણ, એક સનાતન સત્ય એ જમાનાને એટલું બધું વહેલું સમજાઈ ગયેલું હતું તે જોઈને આશ્ચર્ય અનુભવીએ છીએ. યુધિષ્ઠિરને જવાબ સંપૂર્ણ નથી, કેવળ સૂચક છેઃ exhaustive નથી, suggestive છે. . એ કહે છેઃ “ૌપદી આપણને પાંચેયને પરણી હતી, છતાં અર્જુન તરફ એને સવિશેષ પક્ષપાત હતો; તેને કારણે આમ થયું.” ટૂંકામાં માનસિક સંતુલનનેગને–જોઈતા પ્રમાણમાં અભાવ એ તેની શારીરિક · ક્ષીણતાનું કારણ હતું. પણ હવે શું થાય ? સાંસારિક સંસ્કારોને તે અહીં પ્રશ્ન જ નહોત; પ્રવજ્યા લઈને નીકળેલાઓ માટે. એટલે વ્યાસજી લખે છે કે – “મનને સમધારણ અવસ્થામાં રાખી ધીમાન, ધર્માત્મા અને પુરુષષભ એવા યુધિષ્ઠિરે અનવેરા ઇનામ્ એની સામે જોયા વગર પોતાનું આરોહણ જારી રાખ્યું. આ પછી ડી વારે સહદેવ ફસડાઈ પડ્યો; અને ભીમના પ્રશ્ન પરથી યુધિષ્ઠિરે ખુલાસો કર્યો કે “સહદેવ જગતમાં કોઈને પોતાના જેટલું પ્રાણ નહોતે માનત, તે અહંભાવનું આ ફળ છે.” આગળ ચાલતાં નકુલની પણ આ જ દશા થઈ. આરોહણના થાક ઉપરાંત, કૃષ્ણ અને સહદેવના વિરહને સંતાપ પણ એને પીડતો હતો. પણ “રૂપમાં મારા જેવો કોઈ જ નથી,-એ એને સૌન્દર્યમદ એના પતનનું કારણ બને” એવો ખુલાસે યુધિષ્ઠિરે આપે. હવે, લાગે છે કે, ભીમ પણ સહેજસાજ વ્યગ્ર બનવા લાગ્યો હતો. યુધિષ્ઠિરે તેને ટપાર્યોઃ “જેને માટે એના કર્મના પરિપાકરૂપે) જે નિર્મિત થયું છે, તે તેને ભોગવવાનું જ છે,” એમ કહીને. અને સૌ આગળ ચાલ્યા. .. - થોડીવાર પછી શિકસંતપ્ત અર્જુન પડ્યો. અર્જુન તે કૃષ્ણને સ, એનું આવું મૃત્યુ થાય, એમ ભીમને થયું હશે. (ખુદ કૃષ્ણ પણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy